Photos: મહાશિવરાત્રી પર એક સાથે કરો 525 શિવલિંગના દર્શન

આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ રાખે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.

હિમાંશુ મિત્તલ, કોટા: ભગવાન શિવની આરાધનાનો મુખ્ય તહેવાર મહાશિવરાત્રીને માનવામાં આવે છે. આ દિવસે તેમના અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ સાથે જ શિવપુરાણના ઇશાન સંહિતાના અનુસાર આ દિવસે શિવ કરોડો સૂર્યના સમાન પ્રભાવવાળા સૂર્યના રૂપમાં અવતરિત થયા હતા. એટલા માટે મહાશિવરાત્રી મહાકાલ શિવની આરાધના અને તેમની કૃપા મેળવવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે.

કોટાનું શિવપૂરી ધામ મંદિર

1/5
image

જ્યારે મહાશિવરાત્રીની તિથિ ભગવાન શિવની પૂજા માટે ખાસ માનવામાં આવે છે ત્યારે સોમવારે તેનું મહત્વ ઘણુ વધી જાય છે. આ ખાસ સમય પર જી મીડિયા આ ખાસ શિવાલયની તસવીરો લાવ્યું છે જ્યાં ભક્તોને એક બે નહીં પરંતુ એક સાથે 525 શિવલિંગના દર્શન કરી શકે છે.

શિવભક્તો માટે ખાસ છે આ શિવાલય

2/5
image

આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.

શિવનગરીમાં વિશાળ શિવલિંગ પણ છે

3/5
image

એટલું જ નહીં અહીંયા ભગવાન ભોળાનાથના વિશાળ રૂપના દર્શન પણ થાય છે. આ શિવનગરીમાં એક વિશાળ શિવલિંગ પણ છે જેનું વજન 14 ટન અને ઉંચાઇ 11 ફુટ છે. ભક્તોનું માનીએતો ભોળાનાથાના આ વિશાળ શિવલિંગની વિશાળતા તમને ખેંચી લાવે છે. ત્યારબાદ ભક્તોને જોવા મળે છે મહાકાલનો અદ્ધુત નજારો.

525 શિવલિંગ એક સાથે સ્થાપિત

4/5
image

નેપાળના પશુપતિ મહાદેવ બાદ રાજસ્થાનના કોટાના શિવપુરી ધામમાં 525 શિવલિંગ સ્થાપિત છે. જેના એક સાથે દર્શન કરી ભક્ત સાક્ષાત શિવમય બની જાયે છે. જ્યાં વધુ શિવના ઘણા ઉપાસકો તેમના શિવાલયોમાં જઇ એક-એક શિવલિંગના દર્શનોનો લાભ ઉઠાવે છે. ત્યારે આ મંદિરમાં એક સાથે 525 શિવલિંગના દર્શનનો લાભ ઉઠાવી શકે છે.

પૂરી થાય છે દરેક ઇચ્છા

5/5
image

આ મંદિર નેપાળના પશુપતિનાથ મંદિર બાદ ભારતમાં એક માત્ર મંદિર છે. જ્યાં ક સાથે 525 શિવલિંગ છે. આમ તો દરેક જગ્યાએ મંદિરમાં ભક્તોની ભીડ જામતી હોય છે અને આ સાથે ભોળાનાથના દર્શન કરવા પણ મુશ્કેલ બને છે. પરંતુ આ મંદિરમાં શ્રદ્ધાળુઓને ભોળાનાથના દર્શન તો આરામથી થાય છે, તેમજ આ સાથે અભિષેક કરવાની પણ સંપૂર્ણ તક મળી છે.