Rahu Transit: 30 ઓક્ટોબરથી આ રાશિઓના બુલંદ થશે સિતારા, માયાવી ગ્રહ રાહુ બદલવા જઇ રહ્યો છે રાશિ

Rahu Transit 2023 to 2024: જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માયાવી, પાપી અને અશુભ ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે રાહુ હંમેશા નકારાત્મક પરિણામ આપે છે. જો કે, એવું નથી. જે વ્યક્તિની કુંડળીમાં રાહુ શુભ સ્થાનમાં હોય તેને ઘણી સિદ્ધિ મળે છે. આવા લોકો  ઊંચાઈઓને સ્પર્શે છે. 30 ઓક્ટોબરે રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચરને કારણે 3 રાશિઓ એવી છે જેનું શુભ પરિણામ મળવાનું શરૂ થશે.

તુલા

1/5
image

તુલા રાશિના લોકો માટે રાહુનું ગોચર શુભ રહેશે. તમને કાયદાકીય બાબતોમાં સફળતા મળશે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. નોકરીમાં પ્રમોશનની સંભાવના રહેશે. નોકરીમાં બદલીના યોગ બનશે, જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

મીન

2/5
image

મીન રાશિના લોકો માટે રાહુનું ગોચર સાનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ક્યાંકથી અચાનક ધનલાભ થશે. કરિયર માટે આ સમય ઘણો સારો રહેવાનો છે.

કર્ક

3/5
image

કર્ક રાશિના જાતકોને રાહુના ગોચરથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસની તકો બનશે અને આવકના સ્ત્રોત વધશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. ઉદ્યોગપતિઓ માટે પણ સુવર્ણકાળ શરૂ થશે.

કન્યા

4/5
image

કન્યા રાશિના જાતકોને રાહુનું ગોચર શુભ ફળ આપશે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે. આ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે, જેના કારણે દરેક કાર્ય પૂર્ણ થતા જોવા મળશે.

વૃશ્ચિક

5/5
image

રાહુનું આ ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ઉત્તમ રહેશે. આ રાશિના લોકોને ઓક્ટોબરના અંતથી ભાગ્યનો સાથ મળવા લાગશે. આ સમયગાળો આર્થિક રીતે ફળદાયી રહેશે. રોકાણથી સંપત્તિમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.