એક એવા નવાબ જેના પેલેસમાં છે કરોડો રૂપિયાના Paintings, Photos જોશો તો જોતા જ રહી જશો

રાજા, મહારાજા, બાદશાહ, નવાબ...આ શબ્દોનું વજન તેમના નામમાં જ પડે છે. જેટલા ભવ્ય તેમના શોખ છે, એટલો જ ઝાઝરમાન તેમનો ઈતિહાસ છે. આજે વાત કરીએ છેલ્લા નવાબની જેઓ કળાના ખૂબ જ શોખિન હતા. એટલા શોખિન કે, તેમણે બનાવડાવેલી પેઈન્ટિંગ્સની આજે કરોડોમાં બોલી બોલાય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ રામપુરનાં છેલ્લા નવાબ એટલે કે નવાબ રઝા અલી ખા.. નવાબ રઝા અલી ખા રામપુરનાં છેલ્લા નવાબ હતા. નવાબ રઝા અલી ખાની ઓળખ એક સહિષ્ણુ અને પ્રગતિશીલ શાસક તરીકેની હતી. તેમણે પોતાની સરકારમાં ઘણાં હિંદુઓનો સમાવેશ કર્યો હતો. નવાબ રઝા અલી ખાને અનેક સર્વોચ્ચ સન્માન પણ મળ્યા હતા. સ્વતંત્રતાના સમયે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા બદલ ભારત સરકારે પણ  સન્માન પણ મળ્યા હતા. 1966ની સાલમાં 57 વર્ષની વયે નિધન થયુ. નવાબ રઝા અલી ખાને તેમના પિતાની જેમ ઈરાકનાં કર્બલામાં દફન કરવામાં આવ્યા. 
 

1/7
image

ઉત્તરપ્રદેશમાં આવેલા રામપુરના છેલ્લા નવાબ રઝા અલીખાનના પેલેસ ખાસ છે. આ પેલેસમાં કોઠી લખીબાગ આવેલી છે. અહીં કેટલીક પેઈન્ટિંગ એવી છે જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. 

 

2/7
image

રામપુરના નવાબ પેઈન્ટિંગ અને કળાના કેટલા શોખિન છે, એ વાતનો અંદાજ તેમના મહેલની દિવાલો પર લગાવેલી પેઈન્ટિંગ પરથી લગાવી શકાય છે. આ પેઈન્ટિંગની કિંમત 23 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ વાત પરથી જ તમે અંદાજો લગાવી શકો છો, કે રામપુરના નવાબના શોખ કેટલા શાહી હતા.

3/7
image

રામપુરમાં જેટલા પણ નવાબ થયા, તે કળાનું ખૂબ જ સન્માન કરે છે. આ જ કારણ છે કે, તેમના પેલેસમાં ખૂબ જ કિંમતી પેઈન્ટિંગ લાગેલી છે. રામપુરમાં થયેલા નવાબોની તસ્વીરો દુનિયાના મશહુર પેઈન્ટર પીટર લેલી અને જાન હેનસન જેવા કલાકારોએ બનાવી હતી. આ પેઈન્ટિંગ્સની કિંમત લગાવવામાં આવી તો, કિંમત 23 કરોડથી પણ વધુ આંકવામાં આવી.

4/7
image

આ પેઈન્ટિંગની ખાસિયત એ છે કે, તેને જોઈને એવુ લાગે કે, જાણે તે હમણાં જ બોલશે. વર્ષો વિત્યા બાદ પણ પેઈન્ટિંગ્સ એવી જ છે, જેવી પહેલા હતી. પેઈન્ટિંગને જોઈ એવુ લાગે કે, જાણે કોઈ પેઈન્ટરે હજુ થોડા દિવસ પહેલા જ બનાવી છે.  

5/7
image

નવાબ ખાનદાનનાં વંશજોએ જણાવ્યાનુસાર કટિહર રાજા રામસિંહ દ્વારા બનાવવામાં આવેલા રામપુરમાં અંદાજે પોણા બે વર્ષ સુધી નવાબોનું રાજ રહ્યું. આ દરમિયાન 10 નવાબની સત્તા ચાલી. પેલેસની તમામ જગ્યા પર લાગેલી પેઈન્ટિંગ આજે પણ નવાબોની શાન વધારી રહી છે.  

6/7
image

નવાબ ખાનદાનનાં વંશજ અને પૂર્વ મંત્રી નવાબ કાઝિમ અલી ખા ઉર્ફે નવેદ મિયાએ જણાવ્યું કે, મોટાભાગની પેઈન્ટિંગ છેલ્લા નવાબ રઝા અલી ખાનનાં સમય દરમિયાન બની. પેઈન્ટિંગની કિંમત અંગે નવેદ મિયાએ જણાવ્યું કે, જ્યારે પાર્ટિશન સૂટ ફાઈલ થયુ ત્યારે અમે એક લિસ્ટ આપ્યુ હતું. લિસ્ટમાં ઘણી પેઈન્ટિંગ્સ, કેનવાસ, ઓઈલ પેઈન્ટ પણ હતા. આ વસ્તુઓના સમયાંતરે એન્ટિક કેલ્યુએટર થતા રહે છે. આ કેલ્યુએટર અને સમય પીરિયડના આધારે પેઈન્ટિંગની કિંમત લગાવવામાં આવે છે.

7/7
image

નવાબ ખાનદાનનાં વંશજ નવેદ મિયાએ કહ્યું, કે પેઈન્ટિંગની કિંમત જે 23 કરોડ આંકવામાં આવી છે. તેના કરતાં પણ કિંમત અનેકગણી વધુ છે. તમે પેરિસ અને ઈટલીના મ્યુઝિમમાં જાવ, તો તમને ખ્યાલ આવશે કે, એક-એક- પેઈન્ટિંગની કિંમત લાખો યૂરો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, નવાબ રઝા અલીખાનના પેલેસમાં 200 ઓરડા છે. 200 ઓરડાનો આ મહેલ 55 એકરમાં ફેલાયેલો છે. પેલેસના વિસ્તારને જોઈને તમે જાતે જ અંદાજો લગાવી શકશો, કે નવાબ પાસે પેઈન્ટિંગ્સનો કેટલો ખજાનો છે.