બસ કરો અંબાલાલ...આ આગાહીથી તમારા અરમાનો પર ફરી વળશે પાણી! ગુજરાત પર છે મોટી ઘાત

Ambalal Patel Forecast:  અંબાલાલ પટેલની ફરી એક આગાહી આવી ગઈ છે. નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. એ સિવાય આગામી પાંચ દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

1/10
image

અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો ચારેય બાજુથી તૂટી જ પડશે વરસાદ...ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે. ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.  

2/10
image

બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કાઇ છે, જેમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

3/10
image

13મી તારીખના રોજ, એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.  

4/10
image

14મી તારીખેને શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

5/10
image

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થવાની સાથે જ વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં હજુ પણ અંબાલાલ પટેલની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે આગામી સમયમાં છૂટોછવાયો વરસાદ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે.

6/10
image

ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. ભાદરવી પૂનમે દાંતાના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થઇ શકે છે. જેને કારણે માઇભક્તોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે 13થી 15 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના વિભિન્ન ભાગોમાં વરસાદી ઝાંપટા આવી શકે છે. આ તરફ 21 થી 25 સપ્ટેમ્બર સુધી પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરિયાકાંઠાના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

7/10
image

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગર ની સિસ્ટમ સક્રીય થતાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે પૂર્વ ગુજરાતના ભાગો માં વરસાદ આવી શકે છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરા ભારે વરસાદ થાય તો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ તરફ વડોદરા, આણંદ, નડીયાદમાં વરસાદની શક્યતા છે. દાંતા અને બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે કડી, જોટાણા, સમી, હારીજમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

8/10
image

ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. ભાદરવી પુનમ આસપાસ રાજ્યનું હવામાન પલટાશે અને 22 થી 26 સપ્ટેમ્બર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. આ સાથે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ભારે પવન ફૂંકાશે. આગામી 24 કલાક ગુજરાત પર ભારે રહેશે. કારણકે, હાલ ગુજરાત પર એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને પગલે આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. 

9/10
image

બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.   

10/10
image

અનુમાન છે કે, આગામી 24 કલાકમાં તે ધીરે ધીરે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને દિલ્હી અને લખનૌ પહોંચશે. તેની અસર આગામી 3-4 દિવસ સુધી રહેશે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત પર પણ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી અહીં વરસાદની સંભાવના છે.