Solar Eclipse 2020: આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર, જાણો વિગતો

Solar Eclipse 2020: આજે એટલે કે 14મી ડિસેમ્બરે સાંજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવાનું છે. આ એક પૂર્ણ સૂર્યગ્રહણ હશે જે લગભગ 5 કલાક ચાલશે. 

નવી દિલ્હી: વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે 14 ડિસેમ્બરે છે. 15 દિવસના સમયગાળામાં આ બીજુ ગ્રહણ હશે જે માર્ગશીર્ષની અમાવસ્યા તિથિ પર લાગશે. આ એક પૂર્ણ સૂર્યગ્રહણ હશે જે લગભગ 5 કલાક ચાલશે. આવો જાણીએ કે આ સૂર્યગ્રહણ ક્યાં, કયા સમયે દેખાશે. અને ભારતીયો પર તેની શું અસર પડી શકે છે. શું આ સૂર્યગ્રહણમાં સૂતક ગણી શકાય કે નહીં...

ક્યારે અને ક્યાં જોવા મળશે સૂર્યગ્રહણ?

1/7
image

આ છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય મુજબ 14 ડિસેમ્બરે સાંજે 7:03 વાગે શરૂ થશે જે લગભગ 5 કલાક બાદ રાતે 12:23 વાગે પૂરું થશે. આ ગ્રહણ સાઉથ આફ્રીકા, સાઉથ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં પૂર્ણ રીતે જોવા મળશે. જો કે ભારતમાં તે જોઈ શકાશે નહીં. 

શું હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ?

2/7
image

જ્યારે ચંદ્રમા સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી લે છે  અને સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી ત્યારે આ ઘટનાને પૂર્ણ સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યને આંશિક રીતે ઢાંકી લે તો આ ઘટનાને આંશિક સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યનો મધ્ય ભાગ ઢાંકી લે અને એક રિંગની જેમ જોવા મળે તો આ ખગોળીય ઘટનાને વલયાકાર સૂર્યગ્રહણ કહે છે. 

ભારતીય પર પડશે આ અસર

3/7
image

હિન્દુ ધર્મની માન્યતા મુજબ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આપણી રાશિઓ પર પ્રભાવ નાખે છે. જેના કારણે આપણા જીવનમાં ફેરફાર આવે છે. ગ્રહણ દરમિયાન સૂતક કાળ લાગે છે. આ સમયે શોર બકોર કરવો, ખાણી પીણી કે કોઈ પણ શુભકાર્ય કરાતું નથી. પરંતુ 14 ડિસેમ્બરે સંધ્યાકાળે લાગનારું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આવામાં ગ્રહણ દરમિયાન ભારતમાં કોઈ પણ કાર્ય પર પ્રતિબંધ રહેશે નહીં. 

શું સૂતક કાળ ગણાશે?

4/7
image

સૂતક કાળ દરમિયાન પ્રકૃતિ અપેક્ષાકૃત વધુ સંવેદનશીલ થઈ જાય છે. સૂતક દરમિયાન કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના વધુ રહે છે. પરંતુ 14 ડિસેમ્બરે થનારું આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં જોવા ન મળવાના કારણે આ વખતે સૂતકના નિયમો ગણવામાં નહીં આવે. આ સાથે જ ગ્રહણકાળ દરમિયાન માંગલિક કાર્યો ઉપર પણ રોક લાગશે નહીં. સૂતક કાળ માન્ય ન હોવાના કારણે મંદિરોના કપાટ બંધ નહીં કરાય અને પૂજા પાઠ ઉપર પણ રોક નહીં લાગે. 

આ રાશિઓ પર પડી શકે છે પ્રભાવ

5/7
image

ગ્રહણ કાળ એક ખગોળીય ઘટના છે. પરંતુ ધાર્મિક રીતે તેને શુભ ગણવામાં આવતું નથી. જ્યોતિષ મુજબ ભલે આ ગ્રહણ ભારતમાં જોવા ન મળે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર સંપૂર્ણ રીતે પડશે. 14 ડિસેમ્બરના રોજ લાગનારું આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠા નક્ષત્રમાં લાગી રહ્યું છે. આ ગ્રહણ કાળ દરમિયાન આ રાશિવાળાએ ખુબ સાવધાન રહેવાની જરૂર છે. ગ્રહણના પ્રભાવથી તેમના માન સન્માનમાં કમી આવી શકે છે. આ લોકોએ માનસિક પીડા પણ ઉઠાવી પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આ દરમિયાન સૂર્યની આરાધના કરવી જોઈએ. 

કેવી રીતે જોઈ શકો આ છેલ્લું સૂર્યગ્રહણ?

6/7
image

વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ જોવાની ઈચ્છા ધરાવતા લોકો ટેલિસ્કોપની મદદ લઈ શકે છે. આ ઉપરાંત તમે www.virtualtelescope.eu  ઉપર પણ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ જોઈ શકો છો. જ્યારે યુટ્યૂબ ચેનલ CosmoSapiens, Slooh પર લાઈવ પણ સૂર્યગ્રહણ જોવાનો સારો વિકલ્પ મળી શકે છે. 

સૂર્યગ્રહણ પૂરું થાય ત્યારે કરો આ ઉપાય

7/7
image

ગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય જાપ કરો. ગ્રહણકાળ દરમિયાન ગંગાજળ છાંટીને ઘરનું શુદ્ધિકરણ કરો. સૂર્યગ્રહણના બીજા દિવસે ધનુ સંક્રાંતિ છે એટલે સૂર્ય સંબંધિત કોઈ વસ્તુનું દાન કરો. તમે તાંબુ, ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર, અને વસ્તુનું દાન કરી શકો છે.