Kankhajura: રસોડાની આ 5 વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે ઘરમાંથી

Get Rid Of Kankhajura: ઘરમાં વારંવાર નીકળતા કાનખજૂરાને જોઈને ચીતરી ચઢે છે અને ડર પણ લાગે છે. આ જીવને પકડવો પણ મુશ્કેલ હોય છે અને તેનો ડંખ પણ ખતરનાક હોય છે. જો તમારા ઘરમાં પણ કાનખજૂરાનો ત્રાસ વધારે હોય તો આજે તમને રસોડાની 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી કાનખજૂરાથી કાયમી છુટકારો મળી જશે. 

લસણ

1/6
image

લસણની તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડવા માટે કાફી છે. લસણની કળીની છાલ ઉતારી થોડી વાટી અને કાનખજૂરા નીકળતા હોય તે જગ્યાએ રાખી દો. બસ તમારું કામ થઈ જશે.

ડુંગળી

2/6
image

ડુંગળીની તીખી અને તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડી દેશે. ડુંગળીના ટુકડા કરી કાનખજૂરા નીકળતા હોય ત્યાં રાખી દેવા. 

કપૂર

3/6
image

કપૂરની તીવ્ર ગંધ કાનખજૂરાને ભગાડવા માટે કાફી છે. કપૂરનો પાવડર કરી કાનખજૂરા આવતા હોય તેવી જગ્યાઓએ છાંટી દેવો જોઈએ.

લીમડાનું તેલ

4/6
image

લીમડાનું તેલ કીટનાશક છે. લીમડાના તેલને પાણીમાં મિક્સ કરી તેને કાનખજૂરા આવતા હોય ત્યાં છાંટી દેવું જોઈએ. 

વિનેગર

5/6
image

વિનેગરની તીવ્ર ગંધ કાનખજૂરાને પસંદ નથી. પાણીમાં વિનેગર ઉમેરી સ્પ્રે બનાવી રાખો. કાનખજૂરા પર આ સ્પ્રે છાંટશો તો તે ઘરમાંથી ભાગી જશે.

6/6
image