Hanuman Janmotsav 2023: હનુમાન જયંતી પર આ પાંચ રાશિઓ પર થશે બજરંગબલીની કૃપા, દૂર થશે સંકટ

Hanuman Jayanti 2023 Lucky Zodiac Sign: સંકટ મોચન હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ દિવસે વિવિધ સ્થળોએ ધાર્મિક પૂજા પાઠનું આયોજન કરવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 6 એપ્રિલે ઉજવવામાં આવશે. જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોવ તો આ વખતે હનુમાન જયંતિ પર કેટલાક એવા શુભ મુહૂર્ત બનાવવામાં આવી રહ્યા છે, જે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય બદલી શકે છે. આવો જાણીએ કોણ છે આ રાશિના જાતકો.

મેષ

1/5
image

મેષ રાશિના જાતકો માટે હનુમાન જયંતી ખુબ શુભ રહેવાની છે. આ સમયે હનુમાન જીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આ રાશિના બેરોજગાર યુવાનોને રોજગાર મળશે. લવલાઇફ પહેલાથી સારી થશે.

 

વૃષભ

2/5
image

હનુમાન જીની કૃપાથી વૃષભ રાશિના જાતકો માટે આ સમયે હર્ષોલ્લાસની સાથે પસાર થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધાર્મિક કાર્યો પ્રત્યે લગાવ વધશે. નોકરી તથા ધંધામાં સારો અવસર પ્રાપ્ત થશે. ધન લાભનો યોગ બનશે. 

 

 

કર્ક

3/5
image

હનુમાન જીની કૃપાથી કર્ક રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થશે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. પરિવારનો સહયોગ મળશે. વેપારમાં પ્રગતિનો યોગ બનશે. કુલ મળીને આ મહિનો ખુબ સારો રહેવાનો છે. 

 

 

કુંભ

4/5
image

સંકટમોચન હનુમાન જીની કૃપાથી ભાગ્યનો સાથ મળશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. પરિવારનો સહયોગ મળશે. કાર્યો પ્રત્યે બેદરકારી ન દાખવો. આ મહિનો તમારા માટે શુભ રહેશે. 

 

મીન

5/5
image

મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સમયે તમને પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. નોકરીમાં વધારાની જવાબદારી મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. કાર્યક્ષેત્રમાં વર્ચસ્વ સ્થાપિત થશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)