ગુજરાતના ખેડૂતો માટે વરદાન સમાન છે આ 5 સરકારી યોજના, ક્યારેય દુઃખી નહીં થાય જગતનો તાત

Five Best Farmers Schemes: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખત ખેડૂતોના હિતમાં અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આ 5 યોજનાઓ ખુબ જ લાભદાયક નીવડી શકે છે.  જે ગુજરાતના ખેડૂતો માટે અતિ ફાયદાકારક છે. 

ભગવાનના વરદાન સમાન

1/8
image

Farmers Schemes: ગુજરાતના ખેડૂતો માટે ભગવાનના વરદાન સમાન છે આ 5 સરકારી યોજના, જાણો કઈ રીતે લેવો લાભ. જો હજુ સુધી તમે આ યોજનાઓનો લાભ ના લીધો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે આજે જ આ યોજનાનો લાભ લેવા માટે કરાવી શકો છો નોંધણી. તમારા માટે આ સારા સમાચાર છે. ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે આ ફાયદાનો સોદો છે. 

સરકાર ખેડૂતોની સરકાર

2/8
image

Farmers Schemes by Central Government: મોદી સરકાર વારંવાર ખેડૂતોના હિતની વાતો કરતી આવી છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ઘણીવાર પોતાના સંબોધનોમાં કહી ચુક્યા છેકે, આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના છેવાડાના માનવીની સરકાર છે. એટલું જ નહીં ખાસ કરીને ખેડૂતોની આવકને બમણી કરવાનો પણ સરકાર દ્વારા અનેકવાર દાવો કરવામાં આવ્યો છે. સરકારે પોતાના આ વિઝનને પાર પાડવા માટે ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરેલી છે. પણ ઘણાં ખેડૂતોને સરકારની આ યોજનાઓ વિશે જાણકારી હોતી નથી. 

પાંચ જબરદસ્ત યોજનાઓ

3/8
image

ત્યારે આજે આ આર્ટિકલમાં અમે લઈને આવ્યાં છીએ ભારત સરકારની ખેડૂતો માટે એવી પાંચ જબરદસ્ત યોજનાઓ જેના કારણે ખેડૂતોનો બેડોપાર થઈ જશે અને જગતનો તાત ક્યારેય દુઃખી નહીં જાય. ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓની મદદથી સિંચાઈમાંથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અહીં અમે ખેડૂતો માટે પાંચ મોટી યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ યોજનાઓમાં અરજી કરી નથી તો તમારે હમણાં જ અરજી કરવી જોઈએ. ચાલો જાણીએ કઈ યોજનાઓમાં તમને શું લાભ મળશે. ખેડૂતો માટે સૌથી શ્રેષ્ઠ છે આ પાંચ સરકારી યોજનાઓ, જો હજુ સુધી લાભ નથી લીધો તો આજે જ કરો અરજી...

1) પ્રધાનમંત્રી પાક વીમા યોજના

4/8
image

ગુજરાતના ખેડૂતોનું કિસ્મત ચમકાવી દેખે આ પાંચ સરકારી યોજનાઓઃ કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોને પાકના નુકસાન પર આર્થિક મદદ કરી શકાય. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે. આફત, દુષ્કાળ અને  જીવાતના કારણે નુકસાન થવાના કિસ્સામાં વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે.

2) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાઃ

5/8
image

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જે ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. દેશનો કોઈપણ ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે, જે 4 મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. તે સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકાય છે. ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં આ યોજનાના 2 હજાર રૂપિયા આવે છે. 

3) પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના

6/8
image

સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે. સરકારે વધુ પાક મેળવવા ખેડૂતોને આકર્ષક રીતે સોર્સ ક્રિએશન, ડિટેઇલ્સ બોર્ડ, ફીલ્ડ એપ્લીકેશન અને ડેવલપમેન્ટ પ્રેક્ટિસ પર એન્ડ-ટુ-એન્ડ મેનેજમેન્ટ આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં પાણીની સમસ્યા વચ્ચે આ એક સોલ્યુંશન છે. 

4) કિસાન ક્રેડિટ કાર્ડ

7/8
image

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના 1998 માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ કૃષિ અથવા કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપમાં વાર્ષિક 4 ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.

5) પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY)

8/8
image

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 50 હજારની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલીંગ, પેકેજીંગ અને પરિવહન માટે દર ત્રણ વર્ષે સહાય આપવામાં આવે છે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. સજીવ ખેતી કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. જેનાથી ખેડૂતોને મસમોટો ફાયદો થશે.