7 મિનીટમાં તળેટીથી ગિરનાર પર્વત સુધીની સફરમાં નજારો કેવો દેખાય છે, જોઈ લો એક ક્લિકમાં

માત્ર 7-8 મિનીટની અંદર રોપ-વે દ્વારા ગિરનારના અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. ત્યારે ઝી 24 કલાક તમને રોપ-વેમાંથી ગિરનારનો એક્સક્લુઝિવ નજારો બતાવી રહ્યું છે

રક્ષિત પંડ્યા/રાજકોટ :આજે ગુજરાતના ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલ એશિયાના સૌથી મોટા રોપ-વેનુ આજે લોકાર્પણ થયું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે દરેક લોકો કાગડોળે રાહ જોઈને બેસ્યા હતા. પર્વત ચઢી ન શકનારા લોકો માટે આ રોપ-વે (Girnar ropeway) બહુ જ ઉપયોગી બની રહેશે, પરંતુ એડવેન્ચરના શોખીનો માટે પણ તેમાં બેસીને 2.3 કિલોમીટરની સફર કરવી ખાસ બની રહેશે. માત્ર 7-8 મિનીટની અંદર રોપ-વે દ્વારા ગિરનારના અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. ત્યારે ઝી 24 કલાક તમને રોપ-વેમાંથી ગિરનારનો એક્સક્લુઝિવ નજારો બતાવી રહ્યું છે. 

36 સેકન્ડે ટ્રોલી ઊપડશે

1/7
image

36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે

2/7
image

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચઢ્યા વિના ગિરનારની ટોચે પહોંચી શકશે. 

એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓનો ફેરો

3/7
image

રોપવેની ટ્રોલી 7-8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

400 રૂપિયામાં એડવેન્ચર ટ્રીપ

4/7
image

મુસાફરો માટે રોપ-વેનું ભાડુ પણ નક્કી કરી લેવાયું છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટુ-વે ટિકીટનો દર 750 રાખવામાં આવ્યો છે. તો વન-વે ટિકીટ ભાડું 400 રૂપિયા છે. તેમજ બાળકો માટે ટિકીટ 300 રૂપિયા છે. 

રોપવે માટે 130 કરોડ ખર્ચાયા

5/7
image

50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.

કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે

6/7
image

રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. 

25 ટ્રોલી કાર્યરત

7/7
image

પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે