દરરોજ કરો આ 5 યોગાસન, કબજીયાતની સમસ્યા થશે દૂર, સવારે સાફ થઈ જશે પેટ

કબજીયાતની સારવારમાં યોગ એક મુખ્ય અને પ્રભાવી રીત સાબિત થઈ શકે છે. યોગના અભ્યાસથી શરીરની અંદરની ક્રિયાઓને સંતુલિત કરી શકાય છે, જેનાથી પેટ સાફ થવામાં મદદ મળે છે. યોગાસનોની મદદથી પેટની માંસપેશિઓને મજબૂતી મળે છે અને તેને યોગ્ય રીતે કામ કરવામાં સહાયક થાય છે. 

પવનમુક્તાસન

1/5
image

આ આસનમાં તમારે પીઠના બળ પર સૂઈ અને પગને આકાશ તરફ ઉઠાવવાના હોય છે. આ આસન પેટમાં ગેસ બહાર કાઢવામાં મદદ કરે છે અને કબજીયાત ઘટાડવામાં સહાયક રહે છે. 

પસારિત પદ્દોત્તાનાસન

2/5
image

આ આસનમાં એક પગને ઉપર ઉઠાવી સીધી રીતે ખેંચવાનો હોય છે. તે પેટના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરવામાં મદદ કરે છે અને પેટ સાફ કરવામાં સહાયક છે. 

ઉત્તાનાસન

3/5
image

આ મુદ્રામાં તમારે તમારા પગ સીધા ખોલીને આગળ નમવું પડશે. તે પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને કબજિયાત ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

પાદહસ્તાસન

4/5
image

આ આસનમાં તમારે તમારા પગને ધીમે-ધીમે ઝુકાવી તેને ટચ કરવાનો પ્રયાસ કરે છે. તે પણ પેટના સ્નાયુને મજબૂત કરશે અને કબજીયાતમાં રાહત આપશે. 

પશ્ચિમોત્તનાસન

5/5
image

આ આસનમાં તમારે તમારા પગને સીધા કરી આગળ ઝુકવાનું છે. તે પેટના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરે છે અને કબજીયાત ઘટાડવામાં મદદ કરી શકે છે.