Ganesh chaturthi: ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન સામેલ ન કરો, જાણો કારણ

Ganesh Puja Tulsi: 19 સપ્ટેમ્બર 2023થી ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. 10 દિવસ સુધી ચાલતા આ પર્વમાં લોકો ગણપતિને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. ગણેશજીને ફૂલ ચઢાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમના પૂજનમાં તુલતી પાનનો ઉપયોગ કર્યો તો તમે પાપના ભાગીદાર બની શકો છો. 

તુલસીના પાનનો ઉપયોગ ન કરવો

1/9
image

ભગવાન ગણેશના પૂજનમાં ભૂલીને પણ તુલસીના પાંદડાનો ઉપયોગ કર્યો તો તમે પાપમાં ભાગીદાર બની શકો છો. 

ગણેશ જીને તુલસી ચઢાવવામાં આવતી નથી

2/9
image

ગણેશ જીને અક્ષત, ફૂલ, દૂર્વા અને મોદક ચઢાવવામાં આવે છે. પરંતુ ભૂલમાં પણ તુલસી ન ચઢાવવી જોઈએ. 

ગણેશ જીને મળ્યો શ્રાપ

3/9
image

પૌરાણિક હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીએ ભગવાન ગણેશને શ્રાપ આપ્યો હતો. 

ગણેશ જીને આપ્યો પ્રસ્તાવ

4/9
image

પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન ગણેશ ગંગા નદીના ઘાટ પર ધ્યાનમાં હતા. આ વચ્ચે ત્યાં તુલવી દેવી પહોંચ્યા અને તેમની નજર ગણેશ જી પર પડી.

ગણેશ જીએ કર્યો ઇનકાર

5/9
image

તુલસીને ભગવાન ગણેશ પસંદ આવ્યા અને તેણે ગણેશ જીને લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો. ગણેશ જીએ આ પ્રસ્તાવ નકારી દીધો.

 

બે લગ્નનો આપ્યો શ્રાપ

6/9
image

તેના પર તુલસીને ગુસ્સો આવ્યો અને તેણે ભગવાન ગણેશને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે. 

ગણેશજીના બે લગ્ન થયા

7/9
image

શિવ મહાપુરાણ અનુસાર ભગવાન ગણેશની રિદ્ધિ અને સિદ્ધિ બે પત્નીઓ હતી. સાથે તેમાં બાપ્પાના બે બાળકો શુભ અને લાભનો પણ ઉલ્લેખ જોવા મળે છે. 

તુલસીનો નથી થતો પ્રયોગ

8/9
image

આ કારણે ત્યારથી લઈને અત્યાર સુધી ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો પ્રયોગ કરવામાં આવતો નથી. 

 

9/9
image