Tulsi Upay: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ

Tulsi Upay: હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડની માન્યતા પ્રાપ્ત છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેથી જ તુલસીના કેટલાક ઉપાયોથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધન અને સમૃદ્ધિ આપે છે. આ ઉપાયોથી વ્યક્તિની પેઢીઓથી ચાલી આવતી દરિદ્રતાનો પણ અંત આવે છે.

તુલસી પૂજા

1/6
image

દરરોજ સવારે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિ વધે છે. ઘરમાં ધન આવે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય એકાદશીના દિવસે કરવામાં આવેલ તુલસીના આ ઉપાયથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

એકાદશીનો ઉપાય

2/6
image

રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાની મનાઈ હોય છે. પરંતુ આ દિવસોમાં તુલસીની પૂજા કરી શકાય છે. ખાસ કરીને એકાદશીની સાંજે તુલસી પાસે ખાસ દીવો કરવોથી દરિદ્રતા દૂર થાય છે.

લોટનો દીવો

3/6
image

આ ઉપાય કરવા માટે માટીનો અથવા લોટનો દીવો લેવો. જો તમે લોટનો દીવો બનાવતા હોય તો ધ્યાન રાખો કે લોટમાં મીઠું ન ઉમેરવું. તેમાં ઘી ઉમેરી આ દીવો સાંજે તુલસી પાસે પ્રગટાવો. ઘીમાં એક ચપટી હળદર પણ નાખવી.  

ઉત્તર દિશા

4/6
image

દીવો ઉત્તર દિશા તરફ રાખવો શુભ ગણાય છે. દીવો કરી તેની પાસે ગોળ પધરાવો અને પછી તુલસી પાસે બેસીને 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો. ત્યારપછી તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો.

દીવાનું વિસર્જન

5/6
image

બીજા દિવસે સવારે લોટના દીવામાંથી વાટ કાઢીને દીવો અને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય દર એકાદશી પર કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે. 

6/6
image