Maa Saraswati Temples: આ છે ભારતમાં આવેલા માં સરસ્વતીના 5 મુખ્ય મંદિર, વસંત પંચમી પર ઘરે બેઠા કરો દર્શન

Maa Saraswati Temples: આજે 14મી ફેબ્રુઆરી અને બુધવારે દેશભરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન પ્રાપ્તિના આશીર્વાદ માંગવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે આ તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ત્યારે આજે આ ખાસ પર્વ પર દેશમાં આવેલા માતા સરસ્વતીના મુખ્ય મંદિરો વિશે જણાવીએ.  

જ્ઞાન સરસ્વતી મંદિર, તેલંગાણા

1/6
image

તેલંગાણામાં ગોદાવરી નદીના કિનારે આ સરસ્વતી મંદિર આવેલું છે. આ મંદિરમાં બાળકોને અક્ષરા અભ્યાસમ નામના શિક્ષણ સમારોહ માટે લાવવામાં આવે છે. કથાઓ અનુસાર આ મંદિર રાજા બિજિયાલુડ્ડુ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

શ્રી શારદા દેવી મંદિર, મધ્યપ્રદેશ

2/6
image

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં સરસ્વતી માતાનું શ્રી શારદા દેવી મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન છે. વસંત પંચમી નિમિત્તે અહીં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શારદા દેવી મંદિર એક પહાડી પર આવેલું છે, અહીં પહોંચવા માટે લગભગ 1 હજારથી વધુ સીડીઓ ચઢવી પડે છે. અહીં ભક્તો માટે રોપ-વેની પણ સુવિધા છે. 

પનાચિક્કડુ મંદિર, કેરળ

3/6
image

પનાચિક્કડુ મંદિર કેરળના કોટ્ટયમ જિલ્લામાં આવેલું છે. દેવી સરસ્વતીનું સૌથી વિશેષ મંદિર માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં અહીં ભવ્ય સમારોહ કરવામાં આવે છે.

સરસ્વતી મંદિર, રાજસ્થાન

4/6
image

રાજસ્થાનના પુષ્કરમાં આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હજારો ભક્તો આવે છે. વસંત પંચમી પર આ મંદિરમાં ભારે રોનક જોવા મળે છે. મંદિરમાં હવન, યજ્ઞ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

શ્રી શ્રૃંગેરી શારદામ્બા મંદિર, કર્ણાટક

5/6
image

માતા સરસ્વતીનું આ મંદિર કર્ણાટકના શ્રૃંગેરીમાં આવેલું છે. આ મંદિર 8મી સદીનું હોવાનું કહેવાય છે. આ મંદિરની સ્થાપના શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ચંદનની મૂર્તિ સ્થાપિત છે.

6/6
image