VIDEO: આગ બુઝાવવા સ્મૃતીએ હેંડપંપથી છાંટ્યુ પાણી, ગામને આપી સાંત્વના

લોકસભા ચૂંટણી પોતાના ચરમ પર છે. દરેક  વ્યક્તિ મતદાતાઓને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હટાવવા માટે પુરજોશી પ્રયાસો કરી રહ્યા છે. પાંચમાં તબક્કામાં 6 મેનાં રોજ અમેઠીમાં  મતદાન થવાનું છે. ઇરાની જનતામાં પોતાની છાપ છોડવા માટે તેઓ કોઇ કસર છોડવા નથી માંગતા.
VIDEO: આગ બુઝાવવા સ્મૃતીએ હેંડપંપથી છાંટ્યુ પાણી, ગામને આપી સાંત્વના

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પોતાના ચરમ પર છે. દરેક  વ્યક્તિ મતદાતાઓને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને હટાવવા માટે પુરજોશી પ્રયાસો કરી રહ્યા છે. પાંચમાં તબક્કામાં 6 મેનાં રોજ અમેઠીમાં  મતદાન થવાનું છે. ઇરાની જનતામાં પોતાની છાપ છોડવા માટે તેઓ કોઇ કસર છોડવા નથી માંગતા.

— ANI UP (@ANINewsUP) April 28, 2019

રવિવારે ઇરાની અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમને ભાળ મળી કે મુંશીગંજના પશ્ચિમી ઉઆરા ગામમાં આગ લાગી છે તેઓ તુરંત ગામની તરફ નિકળી પડ્યા હતા. ગામમાં પહોંચતા જ તેઓ આગ બુઝાવવામાં મદદ કરવા લાગ્યા. નજીકમાં લાગેલા હેંડપંપમાંથી પાણી સિંચવા લાગ્યા હતા. દરેક વ્યક્તિ આ જોઇને આગ બુઝાવવાનાં પ્રયાસો કરવા લાગ્યા. 

આગમાં એક વૃદ્ધ મહિલાનો સામાન સળઘી ગયો કો ઇરાનીએ મહિલાને ગળે લગાવીને સાંત્વના આપતા કહ્યું કે, અમ્મા પરેશાન ન હોય કંઇ જ નહી થાય.  રવિવારે બપોરે મુંશીગંજની પશ્ચિમી દુઆરાના ગોવર્ધનપુર ગામનાં સીવાનમાં ઘઉનાં ખેતરમાં આગ લાગી હતી. હવાના કારણે આગ ઝડપથી ગામ તરફ આગળ વધવા લાગી હતી. આગ લાગવાની જેવી માહિતી મળી તેઓ તમામ કાર્યક્રમ છોડીને ઘટના સ્થળ તરફ રવાના થઇ ગયા હતા. ખેતરમાં સળગી રહેલા પાક અંગે તેઓ ભાવુક થઇ ગયા અને હાથમાં બાલ્ટી લઇને સ્વયં આગ બુઝાવવા લાગ્યા હતા.

હેન્ડપંપમાંથી તેઓ પાણી ભરીને બુઝાવવા લાગ્યા હતા. તેમણે ગામનાં લોકોને તથા જેમનાં ઘરને આગ લાગી હતી તેમને પણ જણાવ્યું કે તેઓ ચિંતા ન કરે. જો કે ગામના સિહયા પ્રયાસ બાદ ગણત્રીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે આગના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news