મહારાષ્ટ્રમાં હચમચાવી દે તેવો અકસ્માત, રેલવે ઓવરબ્રિજ તૂટ્યો, હાઇ વોલ્ટેજ તાર પર લટક્યા લોકો

Foot Over Bridge Fall Down: ફૂટ ઓવરબ્રિજનો ભાગ જેવો જ તૂટ્યો તેની સાથે પડનાર લોકોના શરીર રેલવેના હાઇ વોલ્ટેજ ઓવરહેડ તાર સાથે ટકરાયા, જેના લીધે પણ કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા. 

મહારાષ્ટ્રમાં હચમચાવી દે તેવો અકસ્માત, રેલવે ઓવરબ્રિજ તૂટ્યો, હાઇ વોલ્ટેજ તાર પર લટક્યા લોકો

Chandrapur Foot Over Bridge:મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં બલ્લારપુર રેલવે સ્ટેશન પર આશ્વર્ય જનક ઘટના ઘટી છે. અહી એક રેલવે પ્લેટફોર્મ પરથી બીજા રેલવે પ્લેટફોર્મ પર જવા માટે ઉપયોગમાં લેવાતા ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ તે સમયે તૂટી ગયો જ્યારે તેના ઉપરથી કેટલાક લોકો બીજા પ્લેટફોર્મ તરફ જઇ રહ્યા હતા. આ ઘટનામાં બ્રિજનો સ્લેબ તૂટતાં તેની ઉપર હાજર લોકો નીચે રેલવે ટ્રેક પર પટકાયા હતા. આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. અકસ્માત સાંજે 5:10 સર્જાયો હતો. 

જેવો જ પુલનો એક ભાગ નીચે તૂટ્યો, સ્ટેશનના પ્લેટફોર્મ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો. લોકો આમતેમ દોડવા લાગ્યા. ઉતાવળમાં રેલવે સ્ટાફ અને કેટલાક લોકોએ મળીને ઇજાગ્રસ્તોને ત્યાંથી નિકાળ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ફૂટ ઓવરબ્રિજનો ભાગ જેવો જ તૂટ્યો તેની સાથે પડનાર લોકોનું શરીર રેલવે હાઇ સ્પીડ વોલ્ટેજ ઓવરહેડ તાર ટકરાયા, જેના લીધે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ભર્તી કરાય
અકસ્માત બાદ ત્યાં પોલીસને ગોઠવી દેવામાં આવી જેથી કોઇપણ પ્રકારની નાસભાગની સ્થિતિને ઉકેલી શકાય. સીપીઆરઓ સીઆર શિવાજી સુતારે ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે નાગપુર મંડળના બલ્લારપુરમાં આજે સાંજે લગભગ 5.10 વાગે ફૂટ ઓવર બ્રિજનો પ્રી-કાસ્ટ સ્લેબનો ભાગ તૂટી ગયો. ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા અને તમામને પ્રાથમિક ઉપચાર બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  

ઇજાગ્રસ્તો માટે વળતરની જાહેરાત
તેમને જણાવ્યું કે આ અકસ્માતમાં કોઇપણ મુસાફરના હતાહતની સૂચના નથી. સીપીઆરઓ સીઆરએ જણાવ્યું કે રેલવે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને એક લાખ રૂપિયા અને સામાન્ય રૂપથી ઘાયલ લોકોને 50,000 રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news