ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત, દરરોજ ઈન્સુલિનથી મળશે છુટકારો

Insulin injection Diabetes India: આ ઈન્સુલિનને વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીના ડાયરેક્ટર જૉન સી ડૉબરે આ મહિતી આપી છે.

ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત, દરરોજ ઈન્સુલિનથી મળશે છુટકારો

નવી દિલ્લી: ભારતમાં મધુમેહ એટલે કે ડાયાબિટીસના દર્દીઓને દરરોજ ઈન્સુલિનની ઝંઝટથી જલ્દી જ છુટકારો મળશે. હકીકતમાં ઈન્સુલિન બનાવનાર કંપની નોવો નોર્ડિક્સ એક અઠવાડિયામાં એકવાર લઈ શકાય તેવુ ઈન્સુલિન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. 

આ ઈન્સુલિનને વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીના ડાયરેક્ટર જૉન સી ડૉબરે આ મહિતી આપી છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ડેનમાર્ક સ્થિત કંપની રોજ ઈન્સુલિન લેવાના બદલે હવે સપ્તાહમાં એકવાર ડોઝ મળે તેના પર કામ કરી રહી છે. ભારતમાં 7.7 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ભારતમાં ડાયાબિટીસના 50 લાખથી વધુ દર્દીઓ ઈન્સુલિન પર નિર્ભર છે.

નોવો નૉર્ડિક્સ ગ્લોબલ બિઝનેસ સર્વિસિઝના કોર્પોરેટર ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક ડૉબરે કહ્યું કે કંપની ટેસ્ટનું સકારાત્મક પરિણામ જોઈ રહી છે અને વાસ્તવમાં આ ટેસ્ટના સૌથી મોટા કેન્દ્ર ભારતમાં રાખવામાં આવ્યા છે. કંપની 27 સાઈટ્સ પર ટેસ્ટ કરી રહી છે અને આમાં ભારતના 217 દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વૈશ્વિક અથવા અમેરિકી બજાર અને ભારતમાં ઉત્પાદના લોન્ચ બાદ સામાન્ય રીતે 9 મહિના કે એક વર્ષનું અંતર રહે છે, આ સમય હોય છે જ્યારે ભારતની નિયમક પ્રક્રિયાઓ માટે લેવામાં આવે છે. ભારત અમારી વૈશ્વિક યોજનાઓનો મહત્વપૂર્ણ ભાગ છે. આખરે હું એક ભારતીય છું અને હું કંપનીનું સર્વશ્રેષ્ઠ ભારત લાવીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news