દિલ્હીમાં ગત મોડી સાંજે મોટી દુર્ઘટના; ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી, અત્યાર સુધીમાં 7ના મોત

પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે,  રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા.

 દિલ્હીમાં ગત મોડી સાંજે મોટી દુર્ઘટના; ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી, અત્યાર સુધીમાં 7ના મોત

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીની ગોકુલપુરી વિસ્તારમાં શુક્રવારે મોડીસાંજે ભીષણ આગની ઘટના બની. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગની દુર્ઘટનાની માહિતી મળતાં જ 13 ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગઈકાલ રાતથી રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે જણાવ્યું છે કે, હાલ તો આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

રાત્રે લગભગ 1 વાગે લાગી હતી આગ
પૂર્વી દિલ્હીના એડિશનલ ડીસીપીએ આ ઘટના અંગે જણાવ્યું છે કે,  રાત્રે 1 વાગે ગોકુલપુરી પોલીસ વિસ્તારમાં આગની દુર્ઘટનાની માહિતી મળી હતી જેના કારણે તાત્કાલિક બચાવ ટીમ સાથે અમે પણ ઘટના સ્થળે પહોંચ્યા. અમે ફાયર વિભાગ સાથે પણ સંપર્ક કર્યો હતો, જેમણે ખુબ જ સારી કામગીરી કરી છે. અમે લગભગ 4 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં 30 ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ હઈ અને 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.

— ANI (@ANI) March 12, 2022

સીએમ કેજરીવાલે વ્યક્ત કર્યો શોક
આ દુર્ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સવાર સવારમાં ખુબ જ દુ:ખદ સમાચાર સાંભળવા મળ્યા છે. હું સ્વયં ઘટના સ્થળે જઈને પીડિત લોકોને મળીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news