Corona Update: દેશમાં કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: દેશમાં કોરોનાના 25 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 389 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 25 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 25,072 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,24,49,306 પર પહોંચી ગઈ છે. જેમાંથી હાલ 3,33,924 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 389 લોકોના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 389 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 4,34,756 પર પહોંચી ગયો છે. જો કે રિકવર થનારાની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 44,157 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી. અત્યાર સુધીમાં કુલ 3,16,80,626 દર્દીઓ કોરોનાને માત આપી રિકવર થયા છે. 

Total cases: 3,24,49,306
Total recoveries: 3,16,80,626
Active cases: 3,33,924
Death toll: 4,34,756

Total vaccinated: 58,25,49,595 (7,95,543 in last 24 hours) pic.twitter.com/jiyOwmadnx

— ANI (@ANI) August 23, 2021

12 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશભરમાંથી ગઈ કાલે 12,95,160 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્ટિંગનો આંકડો 50,75,51,399 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન પણ પૂરપાટ ચાલી રહ્યું છે. ગઈ કાલે દેશમાં કોરોના રસીના 7,95,543 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 58,25,49,595 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news