અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી

ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો.

અડધી રાત સુધી જાગીને ઉદ્ધવની રાહ જોઇ રહ્યા પીયૂષ ગોયલ, નથી મળી ટ્રેનોની યાદી

નવી દિલ્હી: ટ્રેનોની યાદી જોઇતી હતી એટલા માટે રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goel) રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની રાહ જોઇ રહ્યા હતા. પ્રવાસી મજૂરો (Migrant workers)ને લઇને આવનાર ટ્રેનોની યાદીનો મામલો હતો. રવિવારે દિવસભર મહારાષ્ટ્ર (Maharashtra) અને કેન્દ્ર સરકાર વચ્ચે ટ્રેનોની રાજનીતિ ગરમાતી રહી અને તે આજ સુધી ચાલુ છે. જોકે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે અમે કેન્દ્ર પાસેથી 200 ટ્રેન માંગી છે પ્રવાસી મજૂરો માટે.  

જ્યારે રેલ મંત્રી પીયૂષ ગોયલના અનુસાર રેલવે પાસે કોઇ લિસ્ટ આવ્યું નથી. કેંદ્ર અને રાજ્ય સરકારમાં પરસ્પર વાતચીત થઇ રહી છે, આ ઉપરાંત પીયૂષ ગોયલે ટ્વિટ કરી કહ્યું કે અમને યાદી મોકલો પરંતુ રાત્રે 12 વાગે એટલે કે 25 મે શરૂ થાય ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઇપણ યાદી રેલ મંત્રાલય પાસે આવી નથી. 

પીયૂષ હોયલે પોતાના ટ્વિટ થ્રેડમાં જણાવ્યું કે જ્યારે કોઇ રાજ્ય ટ્રેનોની માંગ કરે છે તો તેને યાત્રીઓની લિસ્ટ પણ આપવું જોઇએ. જેથી રેલવે પોતાના હિસાબે સ્ટેશન સુધી નક્કી કરી શકે અને તૈયાર પણ કરી શકે. પરંતુ જ્યારે રાજ્ય એવું ન કરે તો ટ્રેન આપવું સંભવ નથી. રેલવેને પહેલાંથી પ્લાનિંગ કરવું પડે છે. ઘણીવાર જોવાનું મળ્યું છે કે ટ્રેનો ખાલી પણ દોડી છે, એવામાં ખૂબ મોટું નુક્સાન થાય છે. એટલા માટે અત્યાર સુધી કુલ 65 ટ્રેન કેન્સલ કરવામાં આવ્યું છે. રેલવેએ અત્યાર સુધી 520 ટ્રેન દરરોજ 7,32,166 પ્રવાસી મજૂરને પોતાના ઘરે પહોંચાડ્યા છે. 

— Piyush Goyal (@PiyushGoyal) May 24, 2020

રેલવેના અનુસાર કેટલાક રાજ્ય જેવા પશ્વિમ બંગાળ, ઝારખંડ, કેરલ, રાજસ્થાન અને ઓડિશા શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને અનુમતિ આપવા માટે આનાકાની કરી રહ્યા છે. તો બીજી મહારાષ્ટ્રના ઘણા શહેરોથી ડિમાન્ડ આવતાં ટ્રેનો ઉપલબ્ધ કરાવવામાં આવી.

24 મેના રોજ મહારાષ્ટ્ર સરકારના કહેવા પર રેલવેએ 125 ટ્રેનોની વ્યવસ્થા કરી અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી યાત્રી શ્રમિકોની જાણકારી માંગી. પરંતુ સાંજ સુધી જાણકારી ન મળી. આ વાત પીયૂષ ગોયલે સાંજે ટ્વિટ કરીને વાત કરી. 

— Piyush Goyal (@PiyushGoyal) May 24, 2020

ટ્રેનની યાદી રાત્રે 12 વાગ્યા સુધી આવી નથી. તો રાત્રે 12:00 વાગે પીયૂષ ગોયલે ટ્વિટ કર્યું કે 5 કલાક બાદ પણ અમારી પાસે રાજ્ય સરકાર તરફથી પેસેન્જર્સની યાદી નથી અમે રાહ જોઇ રહ્યા છીએ અને આગામી 1 કલાકમાં તે યાદી મોકલવામાં આવે. રેલ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના નજીકના લોકોનું કહેવું છે કે કોરોનાકાળમાં અમે સતત રાત્રે પણ કામ કરી રહ્યા છે અને ઉંઘવાનું ઓછું થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news