Sidharth Shukla Death: એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછીના પ્રશ્નો, નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?

જંક ફૂડમાં કેલરીની માત્રા ખૂબ વધુ હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. વધુ જંક ફૂડ ખાવાથી હાર્ટ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે.

Sidharth Shukla Death: એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછીના પ્રશ્નો, નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?

નવી દિલ્હી: એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું ગુરૂવારે હાર્ટ એટેકથી મોત થયું છે. બિગ બોસ 13 ના વિનર રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ની ઉંમર 40 વર્ષની હતી અને આ ઉંમરમાં હાર્ટ એટેકથી તેમનું (Sidharth Shukla Death) મોતથી દરેક જણ આશ્વર્યમાં છે. 

સામાન્ય રીતે એક ખાસ ઉંમરમાં હદય સાથે જોડાયેલી બિમારી અને હાર્ટ એટેક (Heart Attack) ના મામલા સામે આવે છે. પરંતુ ગત એક વર્ષમાં યુવાનોમાં હાર્ટ એટેકેથી મોતના કેસ વધી રહ્યા છે. આવો જાણીએ શું છે તે કારણ જેના લીધે યુવાનો ઝડપથી હાર્ટ સંબંધિત બિમારીઓનો શિકાર થઇ રહ્યા છે. 

જંક ફૂડ
જંક ફૂડમાં કેલરીની માત્રા ખૂબ વધુ હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી જાય છે. વધુ જંક ફૂડ ખાવાથી હાર્ટ સંબંધિત રોગોનો ખતરો વધી જાય છે.

વર્ક પ્રેશર
વ્યસ્ત જીવનશૈલી અને ડાયલનો ખ્યાલ ન રાખવાના લીધે પણ યુવાનોમાં આ સમસ્યાનો સામનો આવી રહ્યો છે. સતત કામ કરવાના વર્ક પ્રેશર, કલાકો બેસવાની આદતો અને જંક આ વાતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખે છે. તો બીજી તરફ તમે ભૂખ લાગતાં જંક ફૂડ ખાવ છો, તેની અસર રક્ત વાહિકાઓ પર પડે છે. તેના લીધે નાની ઉંમરમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. 

સ્ટેરોઇડ
બોલીવુડ સેલિબ્રિટીઝની માફક બોડી બનાવવાના ચક્કરમાં યુવાનો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે અને ઘણીવાર ન્યૂટ્રિશન સપ્લીમેંટ લેવા લાગે છે. તેમાં એમ્બોલિક સ્ટેરોયડ જેવી પ્રોડક્ટ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધતો જાય છે. 

નશો
મોટાભાગના યંગસ્ટર્સ 18 થી 25ની ઉંમરમાં જ સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન શરૂ કરી દે છે. ડોક્ટરોના અનુસાર યુવાનોના હાર્ટ સાથે સંકળાયેલી બિમારીઓનું મોટું કારણ છે. પોતાના એડિક્શનના લીધે યુવા કાર્ડિયોવાસ્કુલર હાર્ટ ડિસીઝનો શિકાર થઇ રહ્યા છે, જેથી હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. 

આ લક્ષણોને ન કરો ઇગ્નોર
હાર્ટ એટેક માટે એવું નથી કે આ તમને કોઇ ખાસ ઉંમરમાં આવી શકે છે. કોઇપણ વ્યક્તિ તેનો શિકાર થઇ શકે છે, પરંતુ જો તમને કંઇ ખાસ લક્ષણ જોવા મળે તો તમે સતર્ક થઇ જવું જોઇએ. 

ઉંઘ ન આવવી, શ્વાસ લેવામાં સમસ્યા, વધુ પડતો થાક, અનિયમિત ધબકારા અને પગમાં સોજો હાર્ટ  એટેકના લક્ષણ હોય શકે છે. આ લક્ષણ પર ધ્યાન આપો અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news