સુહાગરાતે જ દુલ્હને કરી બુમાબુમ; હોસ્પિટલ લઈને પહોંચ્યા પરિવારજનો, પછી...જબરદસ્ત છે સ્ટોરી

તમને જાણીને નવાઈ લાગશે કે લગ્નના 2 દિવસ બાદ નવપરિણીત વરરાજા એક દીકરીનો બાપ બની ગયો હતો. જેને પગલે એના ઘરવાળા ચોંકી ગયા હતા. દુલ્હનની મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો અને એ મા બની ગઈ હતી.

સુહાગરાતે જ દુલ્હને કરી બુમાબુમ; હોસ્પિટલ લઈને પહોંચ્યા પરિવારજનો, પછી...જબરદસ્ત છે સ્ટોરી

ઝી બ્યુરો/નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મૈનપુરીથી એક મોટા સમાચાર આવ્યા છે.  લગ્નના બે દિવસ બાદ દુલ્હને દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નની રાત્રે જ્યારે તેને ભયંકર દુખાવો થવા લાગ્યો ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. થોડા સમય પછી જ્યારે કન્યાએ પુત્રીને જન્મ આપ્યો ત્યારે નવજાતને રાખવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ મામલે લોકો હોસ્પિટલમાં વિવિધ વાતો કરવા લાગ્યા હતા. નવપરિણીત મા બનતાં દુલ્હાના પરિવારો તો ચોંકી ગયા હતા. જેને વાજતે ગાજતે ઘરે લઈને આવ્યા હતા એને 2 દિવસમાં જ એક છોકરીને જન્મ આપ્યો હોવાની બાબત એ સ્વીકારી શકતા ન હતા. 

આ કેસની વિગતો એવી છે કે, લગ્ન બાદ મંગળવારે જ્યારે દુલ્હન તેના સાસરે પહોંચી તો તેને પેટમાં ભારે દુખાવો થવા લાગ્યો. સંબંધીઓ તેને 100 પથારીવાળી હોસ્પિટલમાં લઈ ગયા અને ડોક્ટરો પાસેથી તે ગર્ભવતી હોવાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.કુસમારા ચોકી વિસ્તારના એક ગામમાં રહેતા એક યુવકના સોમવારે લગ્ન થયા હતા. મંગળવારે સાંજે લગ્નની બીજી રાત પહેલાં પુત્રવધૂને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો.

રાત્રે 12 વાગ્યે સંબંધીઓ તેને 100 બેડની હોસ્પિટલમાં લઈ ગયા. તપાસ બાદ જ્યારે તબીબોએ જાણ કરી કે પુત્રવધૂને ગર્ભાવસ્થાને કારણે પ્રસુતિ થઈ રહી હોવાનું જણાવ્યું ત્યારે સંબંધીઓ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન પુત્રવધૂએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન પતિ અને સાસરિયાંઓએ નવજાતને રાખવાની ના પાડીને હંગામો મચાવ્યો હતો. માહિતી મળતાં પોલીસ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો અને તેઓ ઘરે ગયા હતા.

વરરાજા અને તેના સંબંધીઓને હોસ્પિટલ બોલાવ્યા
બુધવારે સવારે જ્યારે CMS શિવકુમાર ઉપાધ્યાયે સામાજિક કાર્યકર આરાધના ગુપ્તાને આ બાબતની જાણ કરી ત્યારે તેઓ હોસ્પિટલ પહોંચી અને વરરાજા અને તેના સંબંધીઓને હોસ્પિટલમાં બોલાવ્યા હતા. અહીં તેમને ઘણા સમજાવ્યા પછી તે કન્યા અને નવજાતને સાથે રાખવા માટે સંમત થયા હતા.

કન્યા એ યુવકના ભાઈની સાળી છે
આરાધના ગુપ્તાએ જણાવ્યું કે બંને પક્ષો પાસેથી માહિતી મેળવ્યા બાદ જાણવા મળ્યું કે વરરાજા અને વરવધુએ અજાણ્યા નથી, પરંતુ કન્યા વરરાજાની ભાભીની બહેન છે. લગ્ન પહેલાં પણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ બાળક પણ તેનું જ છે. તેણીની ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ લગ્ન થયા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news