અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો

અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યાના મામલે આજે પોલીસે આ ઘટનામાં સામેલ બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે.

અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો

નવી દિલ્હી: અલીગઢમાં અઢી વર્ષની માસૂમ બાળકીની નિર્દયતાથી હત્યાના મામલે આજે પોલીસે આ ઘટનામાં સામેલ બે અન્ય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મુખ્ય આરોપી ઝાહિદના ભાઈ મહેંદી હસન અને ઝાહીદની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાળકીના મૃતદેહને ઝાહિદની પત્નીના દુપટ્ટામાં લપેટાયેલો હતો. આ સાથે જ SITને તપાસમાં અનેક મહત્વના પુરાવા મળ્યા છે. 

ફ્રિઝમાં રાખ્યું હતું શબ!
પોલીસને શક હતો કે આરોપીના ઘરમાં જ બાળકીની લાશ રાખવામાં આવી હતી. SITએ તપાસ કરતા આરોપીના ઘરનું તાળું તોડ્યું અને તલાશી શરૂ કરી. પોલીસે આરોપીના ઘરનું ફ્રિજ ચેક કર્યું. ફ્રિજને જોતા એવું લાગી રહ્યું હતું કે તેને એક બે દિવસ પહેલા જ સાફ કરવામાં આવ્યું છે. પોલીસને એ પણ શક હતો કે આરોપીઓએ લાશને મોઈશ્ચરવાળી જગ્યા પર કે પછી ફ્રિજમાં રાખ્યું હતું. 

મુખ્ય આરોપીની પત્નીને પણ હતી હત્યાની જાણકારી
અલીગઢના એસએસપી આકાશ કુલહરિએ કહ્યું કે આ મામલે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઈ છે. બે જણને પહેલા પકડવામાં આવ્યાં હતાં અને હવે મહેંદી તથા ઝાહિદની પત્ની શાહિસ્તાની ધરપકડ કરવામાં આવી છે. ઝાહિદની પત્નીના દુપટ્ટાથી બાળકીના ડેડબોડીને લપેટવામાં આવ્યું હતું અને પોલીસનું કહેવું છે કે તેને પણ આ હત્યા અંગેની જાણકારી હતી. 

રાસુકા હેઠળ મામલો નોંધાયો
યુપી સરકારે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (રાસુકા) હેઠળ મામલો નોંધ્યો છે. આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકારના એક પ્રવક્તાએ કહ્યું કે આ નિર્ણય યોગી આદિત્યનાથ સરકાર દ્વારા લેવાયો છે. 

પૈસાની લેવડદેવડના કારણે થઈ નિર્દયતાથી હત્યા
25થી 26 મેની રોજ ટપ્પલ વિસ્તારમાં બાળકીના ઘરની પાસે ઝાહિદ અને પૈસા અપાવનારા વચેટિયા સાથે પૈસાની બાબતે પરસ્પર વિવાદ થઈ રહ્યો હતો. ત્યારે બાળકીના દાદા પણ ત્યાંથી નીકળ્યા હતાં. ત્યારબાદ ત્રણેય વચ્ચે પૈસાને લઈને મોટી બબાલ થઈ અને તે એટલી વધી ગઈ કે ઝાહિદે બાળકીના દાદાને ધમકી આપતા જોઈ લેવાની વાત કરી. 

જુઓ LIVE TV

30મી મેના રોજ રમતા રમતા ગાયબ થઈ બાળકી
30મી મેના રોજ સવારે બાળકી પોતાના ઘરથી 10-20 ડગલા દૂર રમી રહી હતી, ત્યારે જ અચાનક ગાયબ થઈ ગઈ. બાળકીના પરિજનોએ તેને ખુબ શોધી પરંતુ બાળકી ન મળી. મંદિર અને મસ્જિદમાં પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. પરંતુ કોઈ જાણકારી મળી નહી. 12 વાગ્યા સુધી બાળકીનો કોઈ અત્તોપત્તો મળ્યો નહીં. પરિજનો ટપ્પલ પોલીસ સ્ટેશન પહોંચ્યાં. પોલીસે કેસ દાખલ કર્યો જ નહીં. એમ કહીને મામલો રફેદફે કર્યો કે બાળકી તમને મળી જશે. અમારો નંબર લઈ લો અને કઈ પણ હોય તો જણાવજો. 

કૂતરા પીંખી રહ્યાં હતા લાશને
જ્યારે બાળકીનો 24 કલાક સુધી પણ કોઈ પત્તો ન મળ્યો ત્યારે 31મી મેના રોજ સાંજે લગભગ 4 વાગે પોલીસે આઈપીસીના કમ 363 હેઠળ અપહરણનો કેસ દાખલ કર્યો. ત્યારબાદ 2 જૂનના રોજ સવારે લગભગ 7 વાગે આરોપી ઝાહિદના ઘરની સામે ખાલી પડેલા પ્લોટ પર જ્યાં લોકો કચરો ફેંકતા હતાં ત્યાંથી એક મહિલા સફાઈ કર્મચારી માયા ત્યાંથી કચરો ભેગો કરી રહી હતી. માયાએ જોયુ કે એક ડેડબોડીને 3 કૂતરાઓ પીંખી રહ્યાં હતાં. 

બાળકીના ઈનરથી પરિજનોએ ઓળખી
મહિલા કર્મચારીએ આ જોતા જ બૂમાબૂમ કરી મૂકી. લોકો ભેગા થઈ ગયાં. બાળકીના પરિજનો પણ ત્યાં આવી ગયાં. બાળકીના પરિજનોએ ઈનર જોઈને બાળકીને ઓળખી લીધી. ઝાહિદના ઘરની બહાર બાળકી મળતા જ પરિવારને ઝાહિદ પર શક ગઓ અને લોકો ભેગા થઈ જતા તે ત્યાંથી ભાગવાની કોશિશમાં હતો પરંતુ પરિવારજનોએ તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી. 

ઘટનાસ્થળે જ આરોપીને દબોચાયો
પોલીસે ઝાહિદને ઘટનાસ્થળે જ પકડ્યો. ત્યારબાદ  પૂછપરછ પછી તેના મિત્ર અસલમને પણ પકડી લીધો. પોલીસે બંનેને 4 જૂનના રોજ પકડ્યા. આરોપી ઝાહિદે બતાવ્યું કે તેણે બાળકીને 30મી મેના રોજ કિડનેપ કર્યા બાદ અસલમના ઘરે લઈ ગયા અને ભૂસાવાળા રૂમમાં લઈ જઈને તેને મારી નાખી. ત્યારબાદ પહેલી મેના રોજ સાંજે બાળકીને ઝાહિદે અસલમના ઘરેથી લઈ લીધી અને સામેવાળા ખાલી ખંડર મકાનમાં નાખી દીધી. ત્યારપછી 2 મેના રોજ સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો. 

પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
આ સમગ્ર મામલે જો પોલીસે બેદરકારી ન વર્તી હોય તો બાળકીનો જીવ બચી શક્યો હોત. આ મામલે તૂલ પકડતા જ પોલીસ અધિકારીએ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે બાળકીનું ગળું દાબીને હત્યા કરાઈ અને કોઈ રેપ થયો નથી. પરંતુ પીએમ રિપોર્ટમાં લખ્યું છે કે બાળકીની સાથે ખુબ જ ખરાબ વર્તાવ કરાયો હતો. તેનો હાથ પણ કપાયેલો હતો. આરોપી ઝાહિદનો આમ તો કોઈ પ્રિવિયસ ક્રિમિનલ રેકોર્ડ નથી પરંતુ મોહમ્મદ અસલમ પર પહેલેથી બે કેસ દાખલ છે. બંને આરોપીના પરિજનો પણ હવે ફરાર છે જેમની શોધ ચાલી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news