બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી માત્ર લોલિપોપ!

 બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. જો કે આ મુદ્દે ગરમાઇ રહેલા રાજકારણને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ જ બેઠક બોલાવીને વિદ્યાર્થીઓની માંગ અને વચ્ચેનો માર્ગ કાઢ્વા માટે વચલો માર્ગ કાઢ્યો હતો.

બિન સચિવાલય ક્લાર્કમાં ભીનુ સંકેલાયું,પરીક્ષા પણ નહી,પરિણામ પણ નહી માત્ર લોલિપોપ!

ગાંધીનગર : બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. જો કે આ મુદ્દે ગરમાઇ રહેલા રાજકારણને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ જ બેઠક બોલાવીને વિદ્યાર્થીઓની માંગ અને વચ્ચેનો માર્ગ કાઢ્વા માટે વચલો માર્ગ કાઢ્યો હતો.

આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધિ હતી. પ્રદિપસિંહ જાડેજાની સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ હાજર છે. વિદ્યાર્થીઓના આંદોલન અંગે ગૃહરાજ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. 6 લાખથી વધારે પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને જે પરેશાની થઇ તે મુદ્દે સરકાર ગંભીર છે. ઉમેદવારોની રજુઆતને ધ્યાને લઇને સતત સરકાર ચિંતિત અને કાર્યરત છે. વિદ્યાર્થીઓએ શાંતિથી આંદોલન કર્યું તે ખુબ જ જરૂરી છે. 

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરાવીને જ રહીશું- યુવરાજસિંહ
યુવરાજસિંહ ગોહીલ, ભાવસિંહ સરવૈયા, યુવરાજસિંહ જાડેજા સહિતનાં વિદ્યાર્થી આગેવાનો સાથે ચર્ચા કરીને ગુજરાતનાં પરીક્ષાર્થીઓનાં સંદર્ભે શું નિરાકરણ કરી શકાય તેમની રજુઆતના અંતે એક SITની રચના કરવામાં આવે તેવી માંગ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તે માંગને માન્ય રાખતા સીટની રચના કરી છે. કમલદયાણી તેના ચેરમેન રહેશે. એડીશનલ ડીજીપી કમલ શશીધરણ તેના સભ્ય રહેશે. મયંક ચાવડા, ગાંધીનગર રેંજ આઇજી રહેશે. અધિક સચિવ જ્વલંત ત્રિવેદી તેના સભ્ય સચિવ રહેશે. 

આ પરીક્ષા અંગે વિદ્યાર્થી નેતાઓએ જે રજુઆત કરી હતી તે સંદર્ભે તમામ તપાસ થશે. કયા સેન્ટર પર પેપર ફુટ્યું તે અંગે તપાસ થાય. જ્યાં તપાસ દરમિયાન પેપર ફુટ્યાની આશંકા હોય ત્યાના સીસીટીવી ચેક કરવામાં આવે. સીટને યોગ્ય લાગે કે ગૃહ અને વહીવટી વિભાગની મદદ લે. જ્યાં જરૂર જણાય ત્યાં કોઇ ટેક્નીકલ માહિતી જોઇતી હોય તો ફોરેન્સીક સાયન્સ વિભાગ પણ મદદ કરશે. આ ઉપરાંતની અનેય કોઇ સુચનો સહિતની માહિતી ચેક કરવામાં આવશે. ભવિષ્યમાં કયા પ્રકારે પરીક્ષા લેવાથી રહેલી ત્રુટીઓ નિવારી શકાય. 

જ્યાં સુધી એસઆઇટીનો રિપોર્ટ સરકારને નહી મળે ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ જાહેર નહી કરવામાં આવે. એસઆઇટીમાં કોઇ ગૌણસેવા પસંદગી મંડળનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રજાના પ્રજાપતિમાં ઉપરોક્ત વિદ્યાર્થી નેતાઓની બેઠક એસઆઇટી સાથે આવતી કાલે સવારે કરવામાં આવશે. તેમની રજુઆત બાદ એસઆઇટી વિચારણા કરીને અહેવાલ રાજ્ય સરકારને 10 દિવસની અંદર સોંપશે. આમ આપણા સૌ આગેવાનો હતા તેના માધ્યમથી પરીક્ષાર્થીઓનું હીત જોડાયેલું છે તે રજુઆતોને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સંપુર્ણ સંવેદના સાથે તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે. એસઆઇટીનાં અહેવાલ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news