Teesta Setalvad Case: તિસ્તા સેતલવાડને 'સુપ્રીમ' રાહત, જાણો કયા આધારે કોર્ટે આપ્યો આ નિર્ણય

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. 

Teesta Setalvad Case: તિસ્તા સેતલવાડને 'સુપ્રીમ' રાહત, જાણો કયા આધારે કોર્ટે આપ્યો આ નિર્ણય

Supreme Court On Teesta Setalvad: સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. 

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ આટલા લાંબા સમયથી બહાર રહે છે ત્યારે તેમને જામીનને પડકારવા માટે સાત દિવસનો સમય કેમ ન આપવો જોઈએ. સેતલવાડ તરફથી હાજર રહેલા એડવોકેટ સીયુ સિંઘે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમના અસીલને ગયા વર્ષે 22 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે કહ્યું કે સેતલવાડે જામીનની કોઈપણ શરતનો ભંગ કર્યો નથી.

તમને જણાવી દઈએ કે, ત્રણ જજોની બેન્ચે લગભગ 9.15 કલાકે સુનાવણી હાથ ધરી હતી. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું કે સેતલવાડ દસ મહિના માટે જામીન પર બહાર છે. કોર્ટે પૂછ્યું કે સેતલવાડને કસ્ટડીમાં લેવાની તાકીદ શું છે? કોર્ટે કહ્યું, “જો વચગાળાની રાહત આપવામાં આવે તો શું આસમાન તૂટી પડશે… હાઈકોર્ટે જે કર્યું તેનાથી અમને આશ્ચર્ય થયું. આ ચિંતાજનક તાકીદ શું છે?

અગાઉ શનિવારે (1 જુલાઈ), ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રમખાણો સંબંધિત ખોટા પુરાવા આપવાના કેસમાં તિસ્તા સેતલવાડના નિયમિત જામીન ફગાવી દીધા હતા અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે સેતલવાડે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો અને તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો અને તેમને જેલમાં મોકલવાની કોશિશ કરી.

જસ્ટિસ નિર્ઝર દેસાઈની અદાલતે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવા સંબંધિત કેસમાં સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમની મુક્તિથી ખોટો સંદેશ જશે કે લોકશાહી દેશમાં બધું બરાબર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news