Pramukh Swami Shatabdi Mahotsav: છઠ્ઠું પાસ સ્વામીની ગજબની કહાની! એન્જિનિયરોને પણ હંફાવે તેવી 600 એકરમાં નગરની ડિઝાઈન કાગળ પર ચિતરી

Pramukh Swami Shatabdi Mahotsav:એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમ માટે અમદાવાદની અંદર આખું શહેર (સ્વામિનારાયણનગર) વસાવવામાં આવ્યું છે. અહીંથી તમામ વિશેષતાની શરૂઆત થાય છે. જેમાં 600 એકર જમીન દાનમાં આપી, જે પૈસાથી બાંધકામ થયું તે પણ દાનમાં મળી છે.

Pramukh Swami Shatabdi Mahotsav: છઠ્ઠું પાસ સ્વામીની ગજબની કહાની! એન્જિનિયરોને પણ હંફાવે તેવી 600 એકરમાં નગરની ડિઝાઈન કાગળ પર ચિતરી

અમદાવાદ, BAPS: સ્વામી નારાયણ સંસ્થાન (BAPS)ના વડા સ્વામી નારાયણ સ્વરૂપદાસજીની જન્મશતાબ્દી નિમિત્તે બુધવારે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમ માટે અમદાવાદની અંદર આખું શહેર (સ્વામિનારાયણનગર) વસાવવામાં આવ્યું છે. અહીંથી તમામ વિશેષતાની શરૂઆત થાય છે. જેમાં 600 એકર જમીન દાનમાં આપી, જે પૈસાથી બાંધકામ થયું તે પણ દાનમાં મળી છે. સ્વંયસેવકોમાં એવા લોકો સામેલ છે જેમની સંપત્તિ જ હજારો કરોડની છે.

કાર્યક્રમની બે મુખ્ય વાતો...
પ્રમુખ સ્વામી નારાયણ સ્વરૂપદાસજીનો જન્મ 1921માં થયો હતો. તેમનો જન્મ શતાબ્દી સમારોહ 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. સમારોહમાં 15 દેશોના પીએમ, ડેપ્યૂટી પીએમ અને હજારો મિનિસ્ટર્સ સામેલ થશે. એટલું જ નહીં, 3 લાખ એનઆરઆઈ આન્યા છે.

સૌથી ખાસ ડિઝાઇન, 6ઠ્ઠું પાસ સંતે કર્યું આખું ડિઝાઈન
આ જગ્યાની ડિઝાઇન સૌથી વધુ ચર્ચામાં છે. જરૂરિયાતની ચીજો તમારે અહીં શોધવી પડતી નથી. તે આપોઆપ દેખાઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આખી જગ્યાની ડિઝાઈન 6ઠ્ઠું પાસ શ્રી સ્વરૂપદાસ સ્વામીએ કરી છે, એટલું જ નહીં, આ સ્વામીએ દિલ્હીમાં અક્ષરધામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે. ગાંધીનગરના અક્ષરધામની ડિઝાઇનમાં પણ તેનો મોટો ફાળો હતો. તેઓ કહે છે કે તેમને કોમ્પ્યુટરનું કોઈ જ્ઞાન નથી. કાગળ પર પેન્સિલ વડે ડિઝાઇન તૈયાર કરે છે. તેમના માટે આ સૌથી સરળ છે.

બધું દાનમાં મળ્યું છે, સ્વંયસેવકો છે કરોડપતિ
આ શહેરમાં જે પણ બની રહ્યું છે અને આવી રહ્યું છે... બધુ દાનમાં મળેલું છે, એટલું જ નહીં, જે લોકો અહીં સેવા કરી રહ્યા છે, તે સેવાભાવમાં કરી રહ્યા છે. આ કામમાં 2 મહીના સુધી 50 હજારથી વધુ લોકો જોડાયેલા રહ્યા છે. શ્રમદાન કરનાર લોકોમાં 5000 કરોડની સંપત્તિ ધરાવનાર અજમેરા પરિવારની વહૂ ગોરાલ અજમેરા પણ સામેલ છે. આ સિવાય સુરતના ડાયમંડ કિંગ લવજી બાદશાહની પુત્રી, વિમલ ડેરીના માલિક અનીશ પટેલ, સિન્ટેંક્ષના યોગેશ પટેલ જેવા ઘણા લોકોનો સમાવેશ થાય છે. 

જમીન પાછી આપવામાં આવશે, રેકોર્ડ પર દાવો ઠોકશે
એક મહીના સુધી ચાલનાર આ ઈવેન્ટ જ્યારે ખતમ થઈ જશે ત્યારે તેમાં રહેલી તમામ ચીજો દાન કરી દેવામાં આવશે. જેની જમીન છે, તેણે માપીને પાછી આપી દેવામાં આવશે. સ્વામી નારાયણ સંસ્થાનના દુનિયામાં લોકો ફોલોવર્સ છે.

આ ઈવેન્ટને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવશે. સંસ્થાનનો દાવો છે કે આ દુનિયાનો એવી સૌથી મોટી ઈવેન્ટ હશે, જેની કોસ્ટ જીરો છે. રેકોર્ડ પણ નક્કી માનવામાં આવી રહ્યો છે.

મહેમાનો માટે વ્યવસ્થા, ફાઈવ સ્ટાર હોટલ 90ટકા બુક
કાર્યક્રમમાં દેશ-વિદેશના પીએમ, ડેપ્યૂટી પીએમ અને નેતાઓ સિવાય 3 લાખ એનઆરઆઈ આવશે. કુલ 55 લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. અમદાવાદના તમામ ફાઈવ સ્ટાર હોટલોમાંથી 90 ટકા અને અલગ અલગ કેટેગરીના 70 ટકા હોટલોના રૂમ થઈ ચૂક્યા છે. લગભગ 20 હજારથી વધારે રૂમોનું બુકિંગ થઈ ચૂક્યું છે.

સંસ્થાના પ્રમુખ સ્વામી, તેમનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું
- વડોદરામાં 7 ડિસેમ્બર 1921ના રોજ શાંતિલાલનો જન્મ થયો હતો. બાળપણમાં તેઓ ઘર છોડીને આધ્યાત્મિકતા તરફ ગયા. 1940માં તેઓ શાસ્ત્રી મહારાજના શિષ્ય બન્યા. આ સમય દરમિયાન તેમનું નામ બદલીને નારાયણ સ્વરૂપદાસ સ્વામી રાખવામાં આવ્યું.

- 1950માં શાસ્ત્રીજી મહારાજે તેમને BAPSના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. ત્યારથી તેઓ "પ્રમુખ સ્વામી" તરીકે ઓળખાવા લાગ્યા. શાસ્ત્રી મહારાજના કહેવાથી નારાયણ સ્વરૂપદાસજીએ તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી.

- નારાયણ સ્વરૂપદાસના ગુરુ શાસ્ત્રી મહારાજનું 1951માં અવસાન થયું. નારાયણ સ્વરૂપદાસ 1971માં BAPSના આધ્યાત્મિક વડા પણ બન્યા હતા.

- સ્વામી પ્રમુખનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. ભારત બહાર સૌથી મોટા વિસ્તારમાં બનેલા BAPSના મંદિરને કારણે મળ્યું છે. આ મંદિર લંડનમાં દોઢ એકર જમીન પર છે. આમાં 26,300 પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1971 થી 2000 વચ્ચે 11 દેશોમાં 355 મંદિરો બનાવવા માટે સ્વામી પ્રમુખનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news