પ્રેમ લગ્નનો કરુણ અંજામ! ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કર્યો કાંડ! પંથકમાં ખળભળાટ

થોડા દિવસોથી ઘરમાં ઝગડા થતાં હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નીપજાવતા સનસનાટી મચી ગઈ છે. મૃતક યુવતીનો પતિ અવાર નવાર ચારિત્રય બાબતે આક્ષેપો કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. 

પ્રેમ લગ્નનો કરુણ અંજામ! ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ કર્યો કાંડ! પંથકમાં ખળભળાટ

ઝી બ્યુરો/ડાંગ: ડાંગના વઘઈમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વઘઈના રાજેન્દ્રપુર ખાતે રહેતી યુવતીને પોતાના જ પતિએ ગળું દબાવી મોત નીપજાવતા આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. થોડા દિવસોથી ઘરમાં ઝગડા થતાં હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નીપજાવતા સનસનાટી મચી ગઈ છે. મૃતક યુવતીનો પતિ અવાર નવાર ચારિત્રય બાબતે આક્ષેપો કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. 

પતિએ જ પત્નીનું ગળું દબાવી મોત નીપજાવતા સમગ્ર બનાવને પત્નીની લાશ ઘર નજીક કોઈ ફેંકી ગયું કહી બનાવને હત્યામાં ખપાવવાનો પ્રયાસ પોતાના પતિએ જ કર્યો હતો પરંતુ પતિએ જ મોત નીપજાવ્યુ હોવાનું કબૂલ કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ પોતાના પતિએ ઘર કંકાસના કારણે યુવતીનું ગળું દબાવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મૃતક યુવતી વઘઈ ખાતે બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. યુવતીના પ્રેમ લગ્ન 10 વર્ષ પહેલાં મુંબઈના મલાડ ખાતે થયા હતા. ત્યાર બાદ મુંબઈ રહેલ પતિ જોડે ઝગડો થતાં યુવતી વઘઈ ખાતે આવી ગઈ હતી અને મૃતક યુવતીનો પતિ બે વર્ષ અગાઉ વઘઇ ખાતે આવી યુવતીના ઘરે જ રહેતો હતો.

યુવતીની માતાએ પોલીસ મથકે જઈ જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દિકરીનું મૃત્યુ નિપજાવ્યા પછી પણ જમાઈએ મૃતક યુવતી (પત્ની) પ્રવાસે ગયેલ છે તેવી ખોટી વાતો કરી ગુનો છુપાવવાની કોશિશ કરી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. બી. ચૌધરી સહિત તેમના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news