GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, રાજ્ય વેન્ટિલેટર મુક્ત થયું, માત્ર 67 કેસ એક્ટિવ

રાજ્યમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 6 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,932 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 35,616 રસીના ડોઝ અપાયા છે. 

GUJARAT CORONA UPDATE: નવા 9 કેસ, રાજ્ય વેન્ટિલેટર મુક્ત થયું, માત્ર 67 કેસ એક્ટિવ

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 6 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,12,932 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 35,616 રસીના ડોઝ અપાયા છે. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 67 એક્ટિવ કેસ છે. જો કે સુખદ બાબત કહી શકાય કે આજે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,12,932 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોના મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. અમદાવાદ કોર્પોરેશનમાં 3, દાહોદ-વડોદરામાં 2-2 અને ગાંધીનગર તથા વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષ વધારેની ઉંમરના 185 ને પ્રથમ જ્યારે 2640 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 49 ને રસીો પ્રથમ જ્યારે 510 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 1039 ને પ્રિકોર્શન અને 12-14 વર્ષના તરૂણો પૈકી 353 ને રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 4776 રસીના ડોઝ તથા 10,62,61,463 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news