GUJARAT CORONA UPDATE: નવા 475 કેસ, 248 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 248 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 52,721 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
GUJARAT CORONA UPDATE: નવા 475 કેસ, 248 દર્દી સાજા થયા એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 248 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,215 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.88 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 52,721 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 2793 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 2793 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,17,215 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,946 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 76, વડોદરા કોર્પોરેશનમાં 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારીમાં 12 વડોદરા 12, અમરેલી 10, ગાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ, ગાંધીનગર, વલસાડમાં 7-7, અમદાવાદ , જામનગર, રાજકોટ કોર્પોરેશનમાં 5-5, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, ખેડામાં 4-4 અને આણંદ, ભાવનગર કોર્પોરેશન, પાટણ, રાજકોટ અને સુરતમાં 3-3 કેસ, ગીરસોમનાથ, મહીસાગર, સાબરકાંઠામાં 2-2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે આ પ્રકારે કુલ 475 કેસ નોંધાયા હતા. 

બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1230 ને રસીનો પ્રથમ, 10967 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 878 ને રસીનો પ્રથમ તથા, 2818 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 22419 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષા નાગરિકો પૈકી 5584 ને રસીનો પ્રથમ અને 8825 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 52,721 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,13,02,759 ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news