મહેસાણા વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે 8 વ્યક્તિઓ વિરુદ્ધ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ દાખલ

મહેસાણામાં વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ઉનાવા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટા પાડી વોટ્સએપથી આપી જવાબો તૈયાર કરાવ્યા બાદમાં ફોટા ડિલિટ કર્યા ઉપરાંત જવાબ વાળો કાગળ પણ સળગાવી દેવો તેમજ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ ચલાવી રહી છે. જરૂર પડે ત્યાં ફોરેન્સિંકની પણ મદદ લેવાઇ રહી છે. આ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે.
મહેસાણા વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે 8 વ્યક્તિઓ વિરુદ્ધ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ દાખલ

મહેસાણા: મહેસાણામાં વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ઉનાવા પોલીસ મથકે કુલ 8 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટા પાડી વોટ્સએપથી આપી જવાબો તૈયાર કરાવ્યા બાદમાં ફોટા ડિલિટ કર્યા ઉપરાંત જવાબ વાળો કાગળ પણ સળગાવી દેવો તેમજ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ ચલાવી રહી છે. જરૂર પડે ત્યાં ફોરેન્સિંકની પણ મદદ લેવાઇ રહી છે. આ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે.

મહેસાણામાં વન રક્ષક પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે ઉનાવા પોલીસ પણ દોડતી થઇ હતી. પેપર ફૂટ્યું છે કે આ ઘટના માત્ર એક જ કેન્દ્ર પર બની છે તે અંગે તપાસનો દોર તેજ કર્યો હતો. પટાવાળા દ્વારા બાળી દેવાયેલી કાપલીની રાખ સહિતનાં પુરાવાઓ એકત્ર કરવા કામે લાગી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના માત્ર એક જ કેન્દ્ર પર બની હોય તેવું સાબિત થયું હતું. સરકારે પણ તાબડતોબ રિપોર્ટ મંગાવ્યો હોવાથી હાલ પ્રાથમિક દ્રષ્ટીએ આ પેપરલિક થયાની નહી પરંતુ એક જ કેન્દ્ર ખાતે ગેરરિતી થઇ હોવાનું જણાવ્યું છે.

મહેસાણાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, વન રક્ષકની ભરતીમાં જે ગેરરીતિની વાત થઇ રહી છે તે એક જ કેન્દ્ર પર અને એક જ વિદ્યાર્થી પુરતી સીમિત છે. તે સિવાય અન્ય કોઇ ફરિયાદો મળી નથી. ઉનાવાની મીરાદાતાર સર્વોદયના વિદ્યાર્થીએ પ્રશ્નો સોલ્વ કરવા માટે પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટા પાડી વોટસઅપથી આપી જવાબો તૈયાર કર્યા હતા. આ કામ માટે શિક્ષક અને પટાવાળાની મદદ પણ લીધી હતી. જો કે આ માત્ર એક વિદ્યાર્થી પુરતુ જ સીમિત હતું માટે વનરક્ષકની પરીક્ષા રદ્દ નહી થાય. તેવી જાહેરાત કરતા એડીશનલ PCCF એ.કે શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ કોપી કેસનો મામલો છે.

આ અંગે 8 લોકોની અટકાયત પણ કરી દેવાય છે અને આ તમામ લોકો સામે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આન્સર કી સળગાવનાર પટાવાળા અને તેને આદેશ આપનાર શિક્ષક વિરુદ્ધ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ પોલીસે સાંયોગિક પુરાવા એકત્રિત કરવા માટેની તપાસ આદરી છે. આ અંગે કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે. કડક કાર્યવાહી કરવામાં આવશે. 

રાજુભાઈ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ, અલ્પેશ પટેલ, જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી, મનીષાબેન ચૌધરી, રવિ મકવાણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટા પાડી વોટ્સએપથી આપી જવાબો તૈયાર કરાવ્યા બાદમાં ફોટા ડિલિટ કર્યા ઉપરાંત જવાબ વાળો કાગળ પણ સળગાવી દેવો તેમજ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસ તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ ચલાવી રહી છે. જરૂર પડે ત્યાં ફોરેન્સિંકની પણ મદદ લેવાઇ રહી છે. આ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news