જયંતિ ભાનુશાળી હત્યા : છબીલ પટેલનું ઢિંચક્યાઉ ફરી ચર્ચામાં, જુઓ વાયરલ વીડિયો

ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.

જયંતિ ભાનુશાળી હત્યા : છબીલ પટેલનું ઢિંચક્યાઉ ફરી ચર્ચામાં, જુઓ વાયરલ વીડિયો

અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી તેમની હત્યા કરી નાખેલી લાશ મળી આવી છે. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં તેઓ મુસાફરી કરી રહ્યાં હતાં.  મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં. જો કે આ ઘટના બાદ હવે જેમના પર હત્યાના આરોપ લાગી રહ્યાં છે તે છબીલ પટેલનો એક જૂનો વીડિયો ખુબ ચર્ચામાં આવી ગયો છે. 

અત્રે જણાવવાનું કે જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈએ જયંતિભાઈની હત્યાનો આરોપ છબીલ પટેલ પર લગાવ્યો છે. તેમનું કહેવું છે કે રાજકીય કારણોસર તેમની હત્યા કરવામાં આવી છે. આમ તો જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલની દુશ્મની પણ ખુબ જગજાહેર છે. જયંતી ભાનુશાળી પર જ્યારે દુષ્કર્મનો કેસ થયો હતો ત્યારે એવા આક્ષેપો લાગ્યા હતાં કે આ બધુ છબીલ પટેલના ઈશારે થઈ રહ્યું છે. તે સમયે છબીલ પટેલનો એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો હતો. 

વાત જાણે એમ છે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ છબીલ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે આંગળીની બંદૂક બનાવીને તેમના વિરુદ્ધ કામ કરનાર તેમના દુશ્મનોને ધમકી આપી હતી અને આંગળીનીબંદૂક બતાવીને કહ્યું હતું કે મિત્રો ચિંતા ન કરતા... દુશ્મનોને તો ઢિંચક્યાઉ ઢિચક્યાઉ. વિરોધીઓએ પણ એવો જ વીડિયો વાઈરલ કર્યો હતો જેમાં આંગળીની જગ્યાએ રિવોલ્વર બતાવી હતી. 

એવું કહેવાય છે કે કચ્છની અબડાસા બેઠક પરથી છબીલ પટેલ બે વખત વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. તેની પાછળ ક્યાંક તો જયંતિ ભાનુશાળી જવાબદારી હતાં.2012માં વિધાનસભાની ચૂંટણી વખતે છબીલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાની વિધાનસભા ચૂંટલી લડ્યા અને જીત્યા હતાં. ભાજપના જયંતિ ભાનુશાળીને તેમણે હરાવ્યાં હતાં. ત્યારબાદ 2014માં છબીલ પટેલ ભાજપમાં જોડાયા હતાં. 

છબીલ પટેલે  કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ બેઠક પર જે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપે જયંતિ ભાનુશાળીની જગ્યાએ છબીલ પટેલને જ ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે શક્તિસિંહને ઊભા રાખ્યા હતાં. જો કે છબીલ પટેલ ચૂંટણી હારી ગયાં. એમ પણ કહેવાય છે કે ભાજપે જયંતિ ભાનુશાળીને છબીલ પટેલ માટે કામ કરવાનું કહ્યું હતું અને તેમની નિષ્ક્રિયતાના કારણે તેઓ ચૂંટણી હાર્યા હતાં. 

ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે અબડાસા બેઠક પરથી ફરીથી છબીલ પટેલને જ ઊભા રાખ્યાં અને તે વખતે પણ તેઓ ચૂંટણી હાર્યાં. તેમને કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ હરાવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news