વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો અમદાવાદમાં પણ ભરૂચવાળી થાત

Dharoi Dam : ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગર જિલ્લાના ગામોને કરાયા અલર્ટ...ગાંધીનગર તાલુકાના 17 ગામો જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ..લોકોને નદી કિનારે ન જવા સૂચના..

વગર વરસાદે અમદાવાદમાં પાણી ઘૂસે તે પહેલા તંત્ર જાગ્યું, નહિ તો અમદાવાદમાં પણ ભરૂચવાળી થાત

Ahmedabad Flood Alert અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમના ચાર દરવાજા ખોલાયા છે. ચાર દરવાજા ૫ ફુટ ખોલી ૨૮૩૬૬ ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદના પગલે ૨૮૩૬૬ ક્સુસેક પાણીની ધરોઈ ડેમમાં આવક થઈ છે. હાલ ઘરોઇ ડેમ ૯૨.૮૦ ટકા ભરાયો છે. સ્પીલ વે માં ૨૭૫૧૬, બાય પાસ આઉટ લેટમાં ૬૦૦ જમણા કાંઠાની કેનાલમાં ૨૫૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આ કારણે અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે. બેરેજમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હેઠવાસમાં આવેલા ગામોને સતર્ક કરાયા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગર જિલ્લાના ગામોને અલર્ટ કરાયા છે. ગાંધીનગર તાલુકાના 17 ગામો જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ છે. જોકે, સાબરમતીમાં પાણી આવવાથી અમદાવાદને કોઈ અસર નહિ થાય. ઉપરવાસમાંથી આવતુ પાણી શહેરની બહાર સીધું નીકળી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. સિટીમાં પૂરનો કોઈ ખતરો નથી.
 
રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દીવસથી વરસાદના પગલે સાબરમતી નદી ઉપર આવેલ વાસણા બેરેજમાંથી છેલ્લા બે દીવસથી આશરે 13,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહેલ છે. હાલમાં નર્મદા મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં 8040 ક્યુસેક્સ, સંતસરોવરમાંથી 20012 ક્યુસેક્સ પાણી છોડવામાં આવેલ હોઇ, આજે સાંજ સુધીમાં વાસણા બેરેજ ખાતેથી આશરે 30,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવનાર છે. આથી વાસણા બેરેજની નીચેવાસમાં સાબરમતી નદી કિનારે આવેલ ગામોને તાકીદ કરવા જરૂરી સુચના વિનંતી છે. 
ઈન્દિરા બ્રિજથી વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઓછું કરી દેવાયું છે. 

વાસણા બેરેજના 13 ગેટ ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 2.5 ફૂટ અને 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. બેરેજ માંથી 16600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ નર્મદા મુખ્ય કેનાલમાંથી 8000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 20000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પરંતું બેરેજ ખાતે નદીનું લેવલ 127.50 ફૂટ રાખવામાં આવ્યું છે. 

14 ગામના લોકોને એલર્ટ કરાયા
સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થતાં બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદ થતાં સાબરમતી નદીમાં જળ સ્તરમાં વધારો થયો છે. વાત્રક અને સેઢી નદીનું પાણી સાબરમતીમાં આવતા જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. જળ સ્તરમાં હજુ વધારો થાય તો પુર આવવાની ભીતિ છે. પાણીના સંકટથી તારાપુર, નભોઈ, રીંઝા, ખડા, જાફરગંજ, પચેગામ સહિત 14 ગામના લોકોને એલર્ટ કરાયા છે. સાબરમતી નદીનાં કાંઠા ગાળાનાં ગામોમાં તંત્ર દ્વારા પેટ્રોલિંગ ગોઠવી દેવાયં છે. નદીમાં જળ સ્તર વધતા તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે નહીં જવા સૂચના અપાઈ છે. 

ધરોઈમાંથી પાણી છોડાતા ગાંધીનગર જિલ્લાના ગામોને પણ એલર્ટ કરાયા છે. ગાંધીનગર તાલુકાના 17 ગામો, જ્યારે માણસાના 11 ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારાના ગામો હોવાના કારણે એલર્ટ અપાયું છે. ધરોઈ ડેમમાથી 28000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ નદી કિનારાના ગામોના લોકો તથા ખનન કામ માટે પણ નદીમા ન જવા માટે કલેક્ટર દ્વારા સૂચના અપાઈ છે. 

જુલાઈ મહિનામાં પણ ધરોઈ ડેમ છલકાયો હતો. સાબરકાંઠા અને ઉપરવાસ વિસ્તારને પગલે સાબરમતી અને તેની ઉપનદીઓમાં પાણીની નવી આવકો નોંધાઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ હતી. ત્યારે સીઝનમાં બીજીવાર ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news