અમદાવાદ: વ્હીલ ચેર સાથે 400 વિકલાંગોએ નવરાત્રીમાં કર્યા રાસ ગરબા

નવરાત્રિને લઈને શહેરમાં વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર પાસે આવેલ સકમબા પાર્ટી પ્લોટમાં વિકલાંગોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદ: વ્હીલ ચેર સાથે 400 વિકલાંગોએ નવરાત્રીમાં કર્યા રાસ ગરબા

જાવેદ સૈયદ/અમદાવાદ: નવરાત્રિને લઈને શહેરમાં વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. થિંક પોઝિટિવ સંસ્થા દ્વારા આ અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર પાસે આવેલ સકમબા પાર્ટી પ્લોટમાં વિકલાંગોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદ શહેરમાં વિકલાંગો ખાતે કરવામાં આવેલા ગરબામાં અનેક વિકલાંગો ભાઇઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આ ગરબા આયોજનમાં 400 કરતા પણ વધારે વિકલાંગોએ ગરબાની માજા માણી હતી. વિકલાંગોના પરિવારે પણ આ ગરબાનો આનંદ માળ્યો હતો.

દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે ‘શસ્ત્ર પૂજા’

મહત્વનું છે, કે આ ગરબામાં અનેક મહિલાઓ અને મોટાભાગના વિકલાંગો વિલચેર લઇને આવ્યા હતા. વિકલચેર અને હેન્ડી સાથે વિકલાંગો લોકોએ અહિંયા ગરબા કરીને નવરાત્રીનો આનંદ મેળવ્યો હતો. મહત્વનું છે, કે અહિંયા પરિવાર સાથે આવેલા 400 કરતા વધારે વિકલાંગોએ ભાગ લીધો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news