વડોદરામાં અંધશ્રદ્ધાનો કિસ્સો! કરોડિયાની મહોણી માતા મંદિરમાં બકરાના માથાની બલી ચઢાવાઈ

વડોદરાના કરોડિયા વિસ્તારમાં મહોણી માતાના મંદિરમાં બલિ ચઢાવાઈ હોવાનું સામે આવ્યું છે. બલિ ચઢાવીને બકરાનું માથું માતાજીની પ્રતિમા પાસે જ મુકાયું હતું. ગઈકાલે રાત્રે બે બકરાની બલિ ચઢાવી હોવાનો મંદિરના ભુવાજીએ સ્વીકાર કર્યો છે.

 વડોદરામાં અંધશ્રદ્ધાનો કિસ્સો! કરોડિયાની મહોણી માતા મંદિરમાં બકરાના માથાની બલી ચઢાવાઈ

ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતમાં હજુ પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના કરોડિયા વિસ્તારમાં મહોણી માતાના મંદિરમાં બલિ ચઢાવાઈ હોવાનું સામે આવ્યું છે. બલિ ચઢાવીને બકરાનું માથું માતાજીની પ્રતિમા પાસે જ મુકાયું હતું. ગઈકાલે રાત્રે બે બકરાની બલિ ચઢાવી હોવાનો મંદિરના ભુવાજીએ સ્વીકાર કર્યો છે. મંદિરમાં વર્ષોથી બલી ચઢાવાતી હોવાનો ભૂવાજીએ દાવો કર્યો છે. મંદિરમાં બકરાની બલિ ચઢાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. બલિ ચઢાવ્યાની ગામમાંથી કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી..

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં કરોડિયાની મહોણી માતા મંદિરમાં બલી ચઢાવવામાં આવી રહી છે. આ ઘટનાની તપાસમાં એવું સામે આવ્યું હતું કે બકરાની બલી ચડાવ્યા બાદ તેમના માથા અને લોહીને મંદિરમાં માતાની પ્રતિમા પાસે જ મુકવામાં આવ્યા હતા. આ મંદિરમાં દર્શનાર્થે આવેલા લોકોને પણ આ જોઈ નવાઈ લાગી હતી અને આ બનાવને પગલે સમગ્ર કરોળિયા વિસ્તારમાં ચકચાર પામી છે. 

મંદિરના દ્રશ્યો જોયા બાદ લોકો ખુબ જ હેરાન થયા હતા કે આ કોને કર્યું છે. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ મદદ માટે પોલીસ દ્વારા FSLઅને વેટરનરી ડોક્ટરની પણ આ મામલે મદદ લીધી છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કે જ્યાં વિકાસ અને પ્રગતિની મોટી-મોટી વાતો થાય છે ત્યાં સગો બાપ દીકરી પર તાંત્રિક વિધિ કરી મોતને ઘાટ ઉતારી રહ્યો છે. તો બીજી તરફ સહેજ તાવ આવે એટલે દવાના નામે ડામ અપાવી દીકરીને હોમી દેવાના પણ ઘણા કિસ્સા છે. ગુજરાતનું એક પણ શહેર કે ગામ બાકાત નથી જ્યાં અંધશ્રદ્ધાને સ્થાન ન હોય. આજે પણ ઘણા વિસ્તારો છે જ્યાં બાળકીઓ બીમાર પડે તો ભૂવા પાસે ડામ દેવાની કુપ્રથા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news