આલિયા અને રણબીર વિશે સોની રાઝદાનનું મહત્વનું નિવેદન, કહ્યું મને પસંદ નથી કે...

અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાનનું કહેવું છે કે તે પોતાની દીકરીના અંગત જીવન વિશ જાહેરમાં વાત કરવાનું પસંદ નથી કરતી. જોકે આમ છતાં સોનીએ મીડિયા સાથે રણબીર અને આલિયાના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી. 

આલિયા અને રણબીર વિશે સોની રાઝદાનનું મહત્વનું નિવેદન, કહ્યું મને પસંદ નથી કે...

નવી દિલ્હી : અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાનનું કહેવું છે કે તે પોતાની દીકરીના અંગત જીવન વિશ જાહેરમાં વાત કરવાનું પસંદ નથી કરતી. જોકે આમ છતાં સોનીએ મીડિયા સાથે રણબીર અને આલિયાના સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી. 

સોનીએ આઇએએએસને કહ્યું છે કે ચાહકો સવાલ કરે એમાં ખોટું નથી પણ  હું આલિયાની માતા છું અને હું મારી દીકરીના અંગત જીવન વિશે વાત કરવા નથી માગતી. હું ઇચ્છું છું કે તે ખુશ રહે અને જે કરે એમાં મારો પ્રેમ અને આશિર્વાદ શામેલ છે. હું ઇચ્છું છું કે તે ખુશ રહે અને તે તેની મરજીનું જીવન જીવે. 

સોનીએ કહ્યું છે કે આલિયા વ્યક્તિગત રીતે બહુ સમજદાર છે પણ શાદીના મામલામાં તેણે સાવધાન રહીને નિર્ણય લેવાનો છે. આલિયા બહુ નાની છે. તેણે બહુ નાની વયથી કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તે કામ કરીને એ બહુ ખુશ છે અને માતા તરીકે એને જોઈને હું પણ બહુ ખુશ છું. જોકે હું તેને સાવધાન રહેવાનું પણ કહું છું કારણ કે જીવનભરનો નિર્ણય લેવા માટે હજી તે બહુ નાની છે. જોકે મને લાગે છે કે જ્યારે તમને લગ્ન માટે યોગ્ય વ્યક્તિ મળી જાય તો સમય ગુમાવ્યા વગર લગ્ન કરી લેવા જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news