ખેડૂતો માટે સારા સમાચાર, હવે CNG વડે પણ ચાલશે Tractor, જાણો કેવી રીતે

ખેડૂતો માટે સારા સમાચાર, હવે CNG વડે પણ ચાલશે Tractor, જાણો કેવી રીતે

ખેડૂતો માટે સારા સમાચાર છે. મોદી સરકારે કૃષિ (Farming) અને નિર્માણ (Construction) ઉપકરણો માટે બે પ્રકારના ઇંધણના ઉપયોગ માટે નિયમોની સૂચના જાહેર કરી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ટ્રેક્ટર, ટ્રેલર અને હાર્વેસ્ટરમાં સીએનજી (CNG) જેવા વૈકલ્પિક ઇંઘણના ઉપયોગને પ્રોત્સાહન આપવું પડે છે. 

મંત્રાલયે જાહેર કરી સૂચના
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે કૃષિ અને નિર્માણ વાહનો માટે બે ઈંધણના ઉપયોગને સૂચિત કર્યા છે. બે ઈંધણોથી ચાલનાર વાહનો માટે ધૂમડા અને વાષ્પના નિયમ ડીઝલ મોડલના ઉત્સર્જન ધોરણોના અનુરૂપ જ રાખવામાં આવ્યા છે. 

ડીઝલની સાથે સીએનજીનો પણ વિકલ્પ
મંત્રાલયે કહ્યું કે આ વાહનોમાં ટ્રેક્ટર, પાવર ટિલર અને નિર્માણ ઉપકરણ વાહન અને હાર્વેસ્ટર સામેલ છે જેનું વિનિર્માણ મૂળ રૂપથી બે પ્રકારના ઇંધણના રૂપમાં કરવામાં આવ્યા છે. તેના માટે મુખ્ય ઈંધણ ડીઝલ અને સીએનજી, બાયો સીએનજી વૈકલ્પિક ઈંધણ છે. 

મોટર વાહન સૂચનામાં થયું સંશોધન
આ સૂચના કેંદ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 115એ અને 115બીમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં નવા નિયમ 115એ અને 115 બીબી સામેલ કરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news