હિન્દુ ધર્મમાં મંદિર પૂજા કરવા તથા આધ્યાત્મિક ઉત્થાન માટે સૌથી મોટું કેન્દ્ર છે.
દેશમાં ઘણા હિન્દુ મંદિર છે, જેના પોત-પોતાના નિયમ પણ છે.
દેશમાં કેટલાક મંદિરોમાં પુરૂષો તો કેટલાકમાં સ્ત્રીઓને જવાની મનાઈ છે.
આજે અમે તમને જણાવીશું કે આખરે બપોરના સમયે મંદિરમાં કેમ ન જવું જોઈએ.
ધાર્મિક ગ્રંથોમાં તેને લઈને ઘણી વાત લખવામાં આવી છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર બપોરનો સમય ભગવાનના વિશ્રામનો સમય હોય છે, તેથી મંદિરે ન જવું જોઈએ.
બપોરના સમયે આપણું શરીર આળસથી ભરેલું હોય છે, તેવામાં આપણું મન પૂજા-પાઠમાં લાગતું નથી.
બપોરના સમયે કહેવામાં આવે છે કે પ્રેત અને અતૃપ્ત આતમાઓ મંદિરની આસપાસ ફરે છે, જેથી તેને મુક્તિ મળી જાય.
બપોરના સમયે ઘરની અંદર પણ પૂજા ન કરવી જોઈએ, પૂજા કરી તમે ભગવાનના શયનમાં વિઘ્ન પાડો છો.
સવાર અને સાંજના સમયે તમે ઉર્જાથી ભરેલા હોવ છો, જેથી તમારે ત્યારે પૂજા કરવી જોઈએ.
આ લેખ સામાન્ય જાણકારી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.