Shani Dev: આવા લોકોથી હંમેશા નારાજ રહે છે શનિદેવ, સમસ્યાઓમાં પસાર થાય છે જીવન

શનિદેવ

એ વાત તો સૌ કોઈ જાણે છે કે શનિદેવની નારાજગી જીવન બરબાદ કરી દે છે.

શનિદેવની નારાજગી

તેથી એવા કામ ક્યારેય કરવા નહીં જેનાથી શનિદેવની નારાજગીનો સામનો કરવો પડે.

શનિદેવનો ક્રોધ

કેટલાક લોકો એવા હોય છે જેમને પણ શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે.

અપમાન કરનાર

જે લોકો પોતાના માતા-પિતા કે વડીલો અને મહિલાઓનું સન્માન કરતા નથી તેનાથી શનિદેવ હંમેશા નારાજ રહે છે.

છળ કરનાર

જે લોકો છળ કરીને બીજાના પૈસા કે વસ્તુઓ હડપ કરી લે તેનાથી પણ શનિદેવ ક્રોધિત રહે છે અને તેને દંડ આપે છે

શોષણ કરનાર

મજબૂર, અસહાઈ, શ્રમિકોની મજાક ઉડાવનાર અને તેનું શોષણ કરનારને પણ શનિદેવ માફ કરતા નથી તેમનું જીવન કષ્ટમાં પસાર થાય છે.

પ્રાણીઓ

પ્રાણીઓને જે વ્યક્તિ હેરાન કરે છે તેને પણ શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે.

નશો કરનાર

આળસ કરનાર અને નશો કરનાર વ્યક્તિ શનિદેવના ક્રોધનો ભોગ બને છે.

આ કામ કરવા નહીં

શનિદેવના ક્રોધથી બચીને રહેવું હોય અને જીવન સુખ શાંતિમાં પસાર કરવું હોય તો આ કામ કરવા નહીં.