આ છે ગુજરાતનું મીની અમરનાથ, જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ
મેઘાવી ઋષિની તપશ્ચર્યાથી ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકી તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ થયુ, જે ટપકેશ્વર મહાદેવ નામથી ઓળખાય છે
ગીરની ગોદમાં આવેલું મહાદેવનું આ પૌરાણિક સ્થાન ધાર્મિક દૃષ્ટિ અને ભૌગોલિક દૃષ્ટિ એ અનેરૂ મહત્ત્વ ધરાવે છે
ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરૂ થયું અને કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભુ શિવલિંગનું નિર્માણ
ગીરમાં આવેલી આ ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલીંગ ઉત્પન્ન થાય છે
મહાદેવનુ મંદિર મહાભારતકાળનું હોવાની લોકવાયકા છે. અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે
ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે
ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહી આવે છે
અહી આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે, જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી. જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવે છે