વર્તમાન સમયમાં મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.
વાસ્તુ પ્રમાણે આપણે આપણી મોબાઈલ સ્ક્રીન પર કેટલાક ખાસ પ્રકારના વોલપેપર લગાવી સફળતા હાસિલ કરી શકીએ છીએ.
તેવામાં આવો જાણીએ જીવનમાં સફળતા મેળવવા માટે આપણે મોબાઈલમાં કેવા વોલપેપર રાખવા જોઈએ.
જો તમે જીવનમાં સફળતા ઈચ્છો છો તો તે માટે મોબાઈલની સ્ક્રીન પર સીડીઓ ચઢતા વ્યક્તિનું વોલપેપર લગાવો.
માન્યતા છે કે તેનાથી વ્યક્તિને તેના કર્મ અનુસાર કરિયરમાં સફળતા મળે છે, સાથે ધન વૃદ્ધિનો સંયોગ પણ બને છે.
જો તમારા જીવનમાં ઉથલ-પાથલ મચી છે તો તમે મોબાઈલની સ્ક્રીન પર વરસાદના છાંટા કે યોગ મુદ્રાવાળું વોલપેપર લગાવો.
બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર બ્લેસિંગ બુદ્ધાનું વોલપેપર લગાવો.
આ સાથે નોકરી અને બિઝનેસમાં પ્રગતિના દ્વાર ખુલે છે, સાથે માર્ગમાં આવતા વિઘ્નોનો અંત આવે છે.
જો તમારા લગ્ન નક્કી થઈ રહ્યાં નથી તો તમારા મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર ગુલાબના ફૂલનું વોલપેપર લગાવો.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.