શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અર્ચના કરે છે.
માન્યતા છે કે શિવજીને પ્રસન્ન કરવા હોય તો મંત્ર જાપ સૌથી અસરકારક રહે છે.
શ્રાવણ મહિનો શરૂ થવાને ગણતરીના દિવસોની વાર છે ત્યારે તમને શિવજીને પ્રસન્ન કરતા ગુપ્ત મંત્ર વિશે તમને જણાવીએ.
શિવજીનો આ મંત્ર સૌથી શક્તિશાળી ગણાય છે. તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
શિવજીનો ગુપ્ત મંત્ર ઓમ નમઃ શિવાય છે. આ મંત્ર વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ એ વાત નથી જાણતા કે આ મંત્રનો જાપ ગોપનીય રીતે કરવો જોઈએ.
જો ગોપનીય રીતે આ મંત્રનો શ્રાવણ મહિના દરમિયાન જાપ કરવામાં આવે તો તેનાથી ચમત્કારી પરિણામ મળે છે.
જો તમે મંત્ર જાપ કરી રહ્યા છો તેના વિશે કોઈને જણાવો છો તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી આ મંત્રના જાપની ગુપ્તતા જાળવવી.
આ ગુપ્ત મંત્રનો શ્રાવણ મહિના દરમિયાન જાપ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આધ્યાત્મિક જાગૃતિ આવે છે.
માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા વધારે મજબૂત થાય છે.
આ મંત્રનો જાપ કરવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને શિવજીના આશીર્વાદ મળે છે.