ગજબ છે આ કૂવો, ડોક્યું કરવાથી જ ખબર પડી જાય છે મૃત્યુની તારીખ

પૌરાણિક મહત્વ

સનાતન ધર્મમાં આસ્થાને લઈને અનેક એવી ચોંકાવનારી વાતો છે, એવી અનેક વસ્તુઓ છે જેનું ખુબ પૌરાણિક મહત્વ છે.

ક્યારે થશે મોત?

એવું કહેવાય છે કે યુપીમાં આવો જ એક કૂવો છે જેમાં ડોક્યું કરીને જોવાથી તમારું મોત કેટલા દિવસમાં થશે તે ખબર પડે છે.

મોત સંબંધિત જાણકારી

આ કૂવો તમને તમારા મોત સંલગ્ન ભવિષ્યવાણી કરીને ઘણી મહત્વની વાતો જણાવશે. જાણો આ રહસ્યમયી કૂવા વિશે.

વારાણસીમાં કૂવો

આ કૂવો ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં છે. આ કૂવાનું વર્ણન પૌરાણિક કથાઓમાં પણ છે.

ચંદ્રકૂપ કૂવો

કાશી વિશ્વનાથ મંદિરની નજીક સિદ્ધેશ્વરી મંદિરમાં આ કૂવો આવેલો છે. આજુબાજુના લોકો પાસે આ કૂવાની ઘટનાઓના તમામ પુરાવા છે જે મોત સંલગ્ન ઘણી જાણકારી આપે છે.

જિંદગી અને મોત

એવું કહેવાય છે કે આ કૂવામાં જ્યારે કોઈ ડોક્યું કરે છે તો તે વ્યક્તિને તેના જીવન અને મોત વચ્ચેના સમયની જાણકારી મળે છે.

પડછાયો જણાવે મોત

એવું કહેવાય છે કે કૂવામાં ડોક્યું કરવાથી જો તમને તમારો પડછાયો દેખાય તો બધુ બરાબર છે. પરંતુ જો ન જોવા મળે તો તમારું મોત આગામી 6 મહિનામાં થઈ જશે એવું માનવામાં આવે છે.

સિદ્ધેશ્વરી મંદિર

સિદ્ધેશ્વરી મહોલ્લામાં બનેલું આ સિદ્ધેશ્વરી મંદિર ચંદ્રેશ્વર લિંગના કારણે ખુબ મશહૂર છે. અહીં એવી માન્યતા છે કે મંદિરમાં પૂજા કર્યા બાદ અહીં દર્શન કરવા જરૂરી હોય છે.

સ્વીકાર ન થાય

એવી માન્યતા છે કે આ કૂવાનું પાણી પીધા વગર તમારી પૂજા સ્વીકાર થતી નથી.