આજકાલ મચ્છરથી પરેશાની ઘણી છે જેનાથી લોકો ખુબ પરેશાન પણ છે.
મચ્છરોને ભગાડવા માટે ઘણું કરવામાં આવે છે પરંતુ મચ્છર જતા નથી.
શું તમે જાણો છો કે અનેક છોડ એવા પણ છે જે મચ્છરને ઘરમાંથી ભગાડવાનું કામ કરે છે.
જો તમે પણ ઈચ્છતા હોવ કે મચ્છરોથી છૂટકારો મેળવીને આરામથી ઘરમાં સૂઈ જવું છે. તો ઘરમાં આ છોડ રાખી લો.
તમે તુલસીના છોડને ઘરમાં લગાવો. તેનાથી મચ્છર દૂર ભાગે છે.
તેની ખુશ્બુથી જ મચ્છર આજુબાજુ ફરકતા નથી અને દૂર રહે છે.
તુલસીનો છોડ ઘરમાં રાખવો ખુબ શુભ માનવામાં આવે છે. તમારે તેને ઘરમાં જરૂર રાખવો જોઈએ.
જો મચ્છર કરડી પણ જાય તો તેને પીસીને તમે એ જગ્યાએ લગાવશો તો સોજા ઓછા થઈ જાય છે.
જો તમારા ઘર પર ઘણા મચ્છર આવતા હોય તો તમે તુલસીનો છોડ લગાવી શકો છો.