વર્તમાન સમયમાં ઘેર ઘેર વંદા મોટી સમસ્યા બની રહ્યા છે. વંદા અને નાની નાની વંદીઓ હેરાન પરેશાન કરી નાખતા હોય છે.
રસોઈ, બાથરૂમ, અને પછી બેડરૂમ દરેક જગ્યાએ વંદાઓ ડેરો જમાવી લેતા હોય છે.
વંદા બહુ ઝડપથી ઘરોમાં પોતાની વસ્તી વધારી લેતા હોય છે. જેના કારણે લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમે વંદાથી છૂટકારો મેળવી શકો છો.
ઘરમાં બેકિંગ સોડા છાંટો. આમ કરવાથી વંદા ઘરમાંથી બહાર નીકળી જશે અને રફૂચક્કર થઈ જશે
જે જગ્યાએ વંદા હોય ત્યાં લીમડાના તેલનું સ્પ્રે કરો. આ ઉપાયો તમને કામ લાગશે
વંદાની ફોજ હોય ત્યાં તમે લવિંગ રાખો. તેનાથી વંદા ઘરની બહાર નીકળી જશે.
તમાલ પત્રનો પાઉડર બનાવી લો અને તેને વંદા પ્રભાવિત વિસ્તારમાં છાંટો. તેનાથી તમને વંદાથી રાહત મળશે.
વંદાને ઘરમાંથી બહાર ભગાડવા માટે લસણની પેસ્ટને પાણીમાં ભેળવીને જ્યાં વંદા હોય ત્યાં છાંટી દો.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.