કાળા મરીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. શાક બનાવવા માટે કે સલાડ ઉપર ભભરાવીને ખવાય છે.
આ ફક્ત ખાવાનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.
કાળા મરીમાં વિટામીન એ, કે, સી અને કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
પરંતુ શું તમને ખબર છે કે કાળા મરી વેઈટ લોસ માટે પણ ખુબ ફાયદાકારક છે.
કાળા મરીમાં પિપેરિન નામનું એક તત્વ મળી આવે છે જે મેટાબોલિઝમને તેજ કરવાનું કામ કરે છે.
હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કાળા મરીના સેવનથી વેઈટ લોસની પ્રક્રિયા ઝડપથી થાય છે.
કાળી મરી અનેક રીતે તમારા ડાયેટનો ભાગ બની શકે છે.
જો તમને તેના સ્વાદથી કોઈ પરેશાની ન હોય તો તમે કાળા મરી ડાયરેક્ટ સવારે ખાલી પેટે 2થી 3 સીધા ચાવી શકો છો.
આ ઉપરાંત તમે કાળા મરીની ચા કે ડિટોક્સ વોટરનું પણ સેવન કરી શકો છો.