આયુર્વેદ મુજબ ઘીમાં અનેક ઔષધીય ગુણો મળી આવે છે.
ખાસ કરીને ઠંડીમાં ઘીનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે.
પરંતુ શું તમને જાણો છો કે પગના તળિયામાં ઘીથી માલિશ કરવાથી શરીરને ખુબ ફાયદા થાય છે.
રોજ પગના તળિયે ઘી લગાવવાથી થાક દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
જો તમને પગમાં બળતરા થતી હોય તો ઘી તળિયે લગાવવાથી ફાયદો થઈ શકે છે.
ઠંડીમાં થનારી શરદીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ તમે પગના તળિયે ઘી લગાવી શકો છો.
તેનાથી સાંધાના દુખાવા દુર થાય છે અને હાડકાં મજબૂત થાય છે.
પગના તળિયામાં ઘી લગાવીને માલિશ કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.
આ સાથે તેનાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને ચહેરો ખીલે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.