અંબાણી બંધુને મળી હતી આકરી સજા, રોટલી-પાણી કાઢ્યા હતા 2 બે દિવસ
અંબાણી પરિવાર ભલે ગમે એટલો અમીર કેમ ન હોય, પરંતુ શિસ્તને લઇને ઘરમાં એટલો જ કડક રહે છે. પિતા ધીરૂભાઇ અંબાણીએ બાળકોને શિસ્તનું મહત્વ શિખવાડ્યું છે.
શિસ્ત એવી કે ભૂલ કરતાં મુકેશ અને અનિલ અંબાણીને કડક સજા મળતી હતી. એવો જ એક કિસ્સો મુકેશ અંબાણીએ પોતે એક ઇન્ટરવ્યુંમાં સંભળાવ્યો હતો.
એક્ટ્રેસ સિમી ગ્રેવાલના શો 'Rendezvous With Simi Garewal' માં મુકેશ અંબાણીએ કિસ્સો સંભળાવ્યો હતો કે કેવી રીતે ભૂલ કરતાં તેમને અને તેમના ભાઇ અનિલ અંબાણીને સજા મળતી હતી.
તે સમયે મુકેશ અંબાણી 10-11 વર્ષના અને અનિલ અંબાણી 9 વર્ષના હતા. ઘરમાં કેટલાક મહેમાન આવ્યા હતા.
માતા કોકિલાબેને મહેમાનોને ટેબલ ફૂડ પીરસ્યું હતું.મુકેશ અને અનિલે મહેમાનો ખાય તે પહેલાં ખાવાનું શરૂ કરી દીધું.
ધીરુભાઈ અંબાણી વારંવાર તેમને શાંતિથી બેસવા માટે કહી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ સાંભળ્યું નહીં. બંને એક સોફા પરથી બીજા સોફા પર કૂદવા લાગ્યા.
ધીરુભાઈ અંબાણી ખૂબ ગુસ્સામાં હતા. તે સમયે તેમણે કંઈ કહ્યું નહીં, પરંતુ જ્યારે મહેમાનો ગયા ત્યારે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. બંનેને ખૂબ ઠપકો મળ્યો.
ધીરુભાઈ અંબાણીએ અનિલ અને મુકેશ અંબાણીને ઘરની બહાર ગેરેજમાં રહેવા કહ્યું. તેણે બે દિવસ ગેરેજમાં રહેવાની સજા ફટકારવામાં આવી હતી.
માતા કોકિલાબેને તેમના પુત્રોનો પક્ષ લીધો અને તેમને ઘરની બહાર ન મોકલવાની ભલામણ કરી, પરંતુ ધીરુભાઈ અંબાણીએ કોઈનું સાંભળ્યું નહીં.
બંનેને બે દિવસ સુધી ગેરેજમાં રહેવું પડ્યું. ભોજનમાં ફક્ત રોટલી અને પાણી આપવામાં આવ્યું હતું.
પિતાના ઠપકાએ બંને ભાઇઓને અહેસાસ કરાવી દીધો કે જીંદગીમાં કાયદા કાનૂન, શિસ્તનું શું મહત્વ છે.
ધીરૂભાઇ અંબાણી જ્યારે રિલાયન્સને બનાવી રહ્યા હતા, ત્યારે તે મુંબઇની એક ચાલમાં રહેતા હતા. એક રૂમમાં 9 લોકોનો પરિવાર રહેતો હતો.
ધીરૂભાઇ અંબાણીએ પોતાના સંઘર્ષના દમ પર રિલાયન્સને દેશની સૌથી મોટી કંપની બનાવી દીધી.