અબજોપતિ અંબાણી પરિવારની વહુ રાધિકાએ લગ્નમાં જૂનો દાગીનો કેમ પહેર્યો? 5 વાર પહેરી ચૂકી છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેના લગ્ન 12મી જુલાઈએ થયા હતા.

બંનેના લગ્નને હવે તો એક અઠવાડિયાથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ પણ લગ્ન સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દેશના સૌથી અમીર બિઝનેસમેનની પુત્રવધુ રાધિકાએ પોતાના લગ્નમાં જૂના દાગીના પહેર્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ તેણે પોતાના લગ્ન પર જે હાર, માંગ ટીકો, બાજુબંધ, અને ઈયરિંગ્સ પહેર્યા હતા તે તેણે એક કે બેવાર નહીં પરંતુ અનેકવાર અગાઉ પહેર્યા હતા.

વાત જાણે એમ છે કે રાધિકાના પરિવારનો તે ખાનદાની હાર છે જેને તેની બહેન અંજલિ મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં પહેર્યો હતો. મર્ચન્ટ પરિવારની દુલ્હનો લગ્નમાં પોતાની ખાનદાની પૈતૃક જ્વેલરી જ પહેરેલી જોવા મળે છે.

સૌથી પહેલા રાધિકાએ આ હાર, ઈયરિંગ્સ અને માંગ ટીકો 2018માં ઈશા અંબાણીના લગ્નમાં પહેર્યા હતા.

ત્યારબાદ તેણે 2019માં આકાશ અંબાણી અને શ્લોકાના લગ્નમાં પણ આ જ માંગ ટીકો રિપિટ કર્યો હતો.

ત્યારબાદ તેણે 2019માં ફરીથી કોઈ ફેમિલી ફંક્શનમાં આ હાર પહેર્યો હતો.

એટલું જ નહીં રાધિકાએ પોતાના લગ્નમાં જે બાજૂબંધ પહેર્યો હતો તે પણ જૂનો હતો અને તે તેણે તેની બહેનના લગ્નમાં પણ પહેર્યો હતો.